Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 240 of 272
PDF/HTML Page 252 of 284

 

background image
ઉચ્ચારણરૂપ જે પદસ્થ ધ્યાન, તેના ધ્યેયભૂત આચાર્ય પરમેષ્ઠીનું કથન કરે છેઃ
ગાથા ૫૨
ગાથાર્થઃદર્શનાચાર, જ્ઞાનાચારની મુખ્યતા સહિત વીર્યાચાર, ચારિત્રાચાર અને
તપાચારએ પાંચ આચારોમાં જે પોતાને તથા પરને જોડે છે તે આચાર્ય મુનિ ધ્યાન
કરવા યોગ્ય છે.
ટીકાઃ‘‘दंसणणाणपहाणे वीरियचारित्तवरतवायारे’ સમ્યગ્દર્શન અને જ્ઞાનની
પ્રધાનતા સહિત વીર્યાચાર, ચારિત્રાચાર અને તપાચારમાં ‘‘अप्पं परं च जुंजइ’ પોતાને અને
પરને અર્થાત્ શિષ્યોને જે જોડે છે ‘‘सो आइरियो मुणी झेओ’’ તે પૂર્વોક્ત લક્ષણવાળા
આચાર્ય, મુનિ, તપોધન ધ્યાન કરવા યોગ્ય છે.
વિશેષઃભૂતાર્થનયના વિષયભૂત, શુદ્ધ સમયસાર શબ્દથી વાચ્ય, ભાવકર્મ
- દ્રવ્યકર્મ - નોકર્મ આદિ સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન, પરમચૈતન્યવિલાસલક્ષણ, સ્વશુદ્ધાત્મા
જ ઉપાદેય છે એવી રુચિ તે સમ્યગ્દર્શન છે; તેમાં જે આચરણપરિણમન તે
નિશ્ચયદર્શનાચાર છે. તે જ શુદ્ધાત્માને ઉપાધિરહિત, સ્વસંવેદનલક્ષણ ભેદજ્ઞાનથી
મિથ્યાત્વરાગાદિ પરભાવોથી ભિન્ન જાણવો તે સમ્યગ્જ્ઞાન છે; તે સમ્યગ્જ્ઞાનમાં આચરણ
પરિણમન તે નિશ્ચયજ્ઞાનાચાર છે. તે જ શુદ્ધ આત્મામાં રાગાદિ વિકલ્પરૂપ ઉપાધિથી રહિત
સ્વાભાવિક સુખાસ્વાદથી નિશ્ચલચિત્ત થવું તે વીતરાગચારિત્ર છે; તેમાં જે આચરણ અર્થાત્
दर्शनज्ञानप्रधाने वीर्यचारित्रवरतपआचारे
आत्मानं परं च युनक्ति सः आचार्यः मुनिः ध्येयः ।।५२।।
व्याख्या‘‘दंसणणाणपहाणे वीरियचारित्तवरतवायारे’’ सम्यग्दर्शनज्ञानप्रधाने
वीर्यचारित्रवरतपश्चरणाचारेऽधिकरणभूते ‘‘अप्पं परं च जुंजइ’’ आत्मानं परं शिष्यजनं च
योऽसौ योजयति सम्बन्धं करोति ‘‘सो आइरिओ मुणी झेओ’ स उक्तलक्षण आचार्यो
मुनिस्तपोधनो ध्येयो भवति
तथाहिभूतार्थनयविषयभूतः शुद्धसमयसारशब्दवाच्यो
भावकर्मद्रव्यकर्मनोकर्मादिसमस्तपरद्रव्येभ्यो भिन्नः परमचैतन्यविलासलक्षणः स्वशुद्धात्मैवोपादेय
इति रुचिरूपं सम्यग्दर्शनं, तत्राचरणं परिणमनं निश्चयदर्शनाचारः
तस्यैव शुद्धात्मनो
निरुपाधिस्वसंवेदनलक्षणभेदज्ञानेन मिथ्यात्वरागादिपरभावेभ्यः पृथक्परिच्छेदनं सम्यग्ज्ञानं,
तत्राचरणं परिणमनं निश्चयज्ञानाचारः
तत्रैव रागादिविकल्पोपाधिरहितस्वाभाविक-
૨૪૦ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ