Bruhad Dravya Sangrah (Gujarati). Sadhu Parameshthinu Swaroop.

< Previous Page   Next Page >


Page 243 of 272
PDF/HTML Page 255 of 284

 

background image
આવો તે આત્મા ઉપાધ્યાય છે. વળી તે કેવા છે?‘‘जदिवरवसहो’ પાંચે ઇન્દ્રિયોના વિષયોને
જીતવાથી નિજશુદ્ધઆત્મામાં પ્રયત્ન કરવામાં તત્પર એવા મુનીશ્વરોમાં વૃષભ અર્થાત્
પ્રધાન હોવાથી યતિવરવૃષભ છે. ‘‘णमो तस्स’’ તે ઉપાધ્યાય પરમેષ્ઠીને દ્રવ્ય અને ભાવરૂપ
નમસ્કાર હો.
એ રીતે, ઉપાધ્યાય પરમેષ્ઠીના વ્યાખ્યાનરૂપ ગાથા પૂર્ણ થઈ. ૫૩.
હવે, નિશ્ચય
રત્નત્રયાત્મક નિશ્ચયધ્યાનનું પરંપરાએ કારણભૂત એવું, બાહ્ય
અભ્યંતર મોક્ષમાર્ગના સાધક પરમસાધુની ભક્તિરૂપ અને ‘ણમો લોએ સવ્વસાહૂણં’ એ
પદના ઉચ્ચારણ, જપન તથા ધ્યાનરૂપ જે પદસ્થ ધ્યાન, તેના ધ્યેયભૂત એવા સાધુ
પરમેષ્ઠીનું સ્વરૂપ કહે છેઃ
ગાથા ૫૪
ગાથાર્થઃદર્શન અને જ્ઞાનથી પૂર્ણ, મોક્ષમાર્ગસ્વરૂપ, સદા શુદ્ધ એવા ચારિત્રને
જે સાધે છે, તે મુનિ‘સાધુ પરમેષ્ઠી’ છે, તેમને મારા નમસ્કાર હો.
‘‘जदिवरवसहो’’ पञ्चेन्द्रियविषयजयेन निजशुद्धात्मनि यत्नपराणां यतिवराणां मध्ये वृषभः
प्रधानो यतिवरवृषभः
‘णमो तस्य’’ तस्मै द्रव्यभावरूपो नमो नमस्कारोऽस्तु इत्युपाध्याय-
परमेष्ठिव्याख्यानरूपेण गाथा गता ।।५३।।
अथ निश्चयरत्नत्रयात्मकनिश्चयध्यानस्य परम्परया कारणभूतं बाह्याभ्यन्तर-
मोक्षमार्गसाधकं परमसाधुभक्तिरूपं ‘‘णमो लोए सव्वसाहूणं’’ इति पदोच्चारणजपध्यानलक्षणं
यत् पदस्थध्यानं तस्य ध्येयभूतं साधुपरमेष्ठिस्वरूपं कथयति
दंसणणाणसमग्गं मग्गं मोक्खस्स जो हु चारित्तं
साधयदि णिच्चसुद्धं साहू स मुणी णमो तस्स ।।५४।।
दर्शनज्ञानसमग्रं मार्गं मोक्षस्य यः हि चारित्रम्
साधयति नित्यशुद्धं साधुः सः मुनिः नमः तस्मै ।।५४।।
જો સાધૈ શિવ - મારગ સદા, દર્શનજ્ઞાનચરનસંપદા;
શુદ્ધ સાધુ મુનિ સો જગ દિપૈ, તાસ ધ્યાનતૈં પાપ ન લિપૈ. ૫૪.
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૪૩