Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 256 of 272
PDF/HTML Page 268 of 284

 

background image
ગુણસ્થાનોમાં ધર્મધ્યાનનું નિષેધક નથી. ૧.’’
જે એમ કહ્યું છે કે, ‘દશ તથા ચૌદ પૂર્વના શ્રુતજ્ઞાનથી ધ્યાન થાય છે’ તે
પણ ઉત્સર્ગવચન છે. અપવાદવ્યાખ્યાનથી તો પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના
પ્રતિપાદક સારભૂત શ્રુતજ્ઞાનથી પણ ધ્યાન થાય છે અને કેવળજ્ઞાન પણ થાય છે.
જો એવું અપવાદવ્યાખ્યાન ન હોય તો ‘‘તુષ
માષનું ઉચ્ચારણ કરતાં શ્રીશિવભૂતિ
મુનિ કેવળજ્ઞાની થઈ ગયા’’ ઇત્યાદિ ગન્ધર્વારાધનાદિ ગ્રન્થોમાં કહેલું કથન કેવી રીતે
ઘટે? શંકાઃ
શ્રીશિવભૂતિ મુનિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓનું પ્રતિપાદન
કરનાર દ્રવ્યશ્રુત જાણતા હતા અને ભાવશ્રુત તેમને પૂર્ણપણે હતું? ઉત્તરઃએમ
ન કહેવું જોઈએ; કેમ કે જો તેઓ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પ્રતિપાદક
દ્રવ્યશ્રુતને જાણતા હોત તો ‘ન દ્વેષ કર, ન રાગ કર,’ એ એક પદ કેમ ન જાણે?
માટે જ જણાય છે કે, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ આઠ પ્રવચનમાતાપ્રમાણ
જ ભાવશ્રુત તેમને હતું અને દ્રવ્યશ્રુત કાંઈ પણ નહોતું. આ વ્યાખ્યાન અમે કલ્પિત
નથી કહ્યું; તે ચારિત્રસાર આદિ શાસ્ત્રોમાં પણ કહેવાયેલું છે. તે આ પ્રમાણેઃ
અંતર્મુહૂર્તમાં જેઓ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે તેઓ ક્ષીણકષાય ગુણસ્થાનમાં રહેનાર
‘નિર્ગ્રંથ’ નામના ૠષિ કહેવાય છે. તેમને ઉત્કૃષ્ટપણે ચૌદ પૂર્વ શ્રુતજ્ઞાન હોય છે અને
જઘન્યપણે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ જેટલું જ શ્રુતજ્ઞાન હોય છે.
यथोक्तं दशचतुर्दशपूर्वगतश्रुतज्ञानेन ध्यानं भवति तदप्युत्सर्गवचनम्
अपवादव्याख्यानेन पुनः पञ्चसमितित्रिगुप्तिप्रतिपादकसारभूतश्रुतेनापि ध्यानं भवति
केवलज्ञानश्च
यद्येवमपवादव्याख्यानं नास्ति तर्हि ‘‘तुसमासं घोसन्तो सिवभूदी केवली जादो’’
इत्यादिगन्धर्वाराधनादिभणितं व्याख्यानम् कथम् घटते ? अथ मतम्पञ्चसमिति-
त्रिगुप्तिप्रतिपादकं द्रव्यश्रुतमिति जानाति इदं भावश्रुतं पुनः सर्वमस्ति नैवं वक्तव्यम् यदि
पञ्चसमितित्रिगुप्तिप्रतिपादकं द्रव्यश्रुतं जानाति तर्हि ‘‘मा रूसह मा तूसह’’ इत्येकं पदं किं
न जानाति
तत एव ज्ञायतेऽष्टप्रवचनमातृप्रमाणमेव भावश्रुतं, द्रव्यश्रुतं पुनः किमपि नास्ति
इदन्तु व्याख्यानमस्माभिर्न कल्पितमेव तच्चारित्रसारादिग्रन्थेष्वपि भणितमास्ते तथाहि
अन्तर्मुहूर्तादूर्ध्वं ये केवलज्ञानमुत्पादयन्ति ते क्षीणकषायगुणस्थानवर्त्तिनो निर्ग्रंथसंज्ञा ऋषयो
भण्यन्ते
तेषां चोत्कर्षेण चतुर्दशपूर्वादिश्रुतं भवति, जघन्येन पुनः पञ्चसमिति-
त्रिगुप्तिमात्रमेवेति
૨૫૬ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ