Bruhad Dravya Sangrah (Gujarati). Mokshana Vishayama Nayavichar.

< Previous Page   Next Page >


Page 258 of 272
PDF/HTML Page 270 of 284

 

background image
થાય તો તારો જન્મ કેવી રીતે નિષ્ફળ થાય? ૩. આકાંક્ષાથી કલુષિત થયેલો અને કામ
ભોગોમાં મૂર્ચ્છિત એવો આ જીવ ભોગ ન ભોગવવા છતાં પણ ભાવથી કર્મો બાંધે છે.
૪.
ઇત્યાદિરૂપ (ઉક્ત ગાથાઓમાં કહેલા) દુર્ધ્યાનને છોડીને (આમ કરવું)
નિર્મમત્વમાં સ્થિર થઈને, અન્ય પદાર્થોમાં મમત્વબુદ્ધિનો હું ત્યાગ કરું છું; મને આત્માનું
જ અવલંબન છે, અન્ય સર્વનો હું ત્યાગ કરું છું. ૧. મારો આત્મા જ દર્શન છે, આત્મા
જ જ્ઞાન છે, આત્મા જ ચારિત્ર છે, આત્મા જ પ્રત્યાખ્યાન છે, આત્મા જ સંવર છે અને
આત્મા જ યોગ છે. ૨. જ્ઞાનદર્શનલક્ષણવાળો એક મારો આત્મા જ શાશ્વત છે અને અન્ય
સર્વ સંયોગલક્ષણવાળા ભાવો મારાથી બાહ્ય છે. ૩.ઇત્યાદિ સારભૂત પદોનું ગ્રહણ કરીને
ધ્યાન કરવું.
હવે, મોક્ષના વિષયમાં ફરીથી નયવિચાર કહેવામાં આવે છેઃપ્રથમ તો મોક્ષ
બંધપૂર્વક છે. તે જ કહ્યું છે‘‘જો જીવ મુક્ત છે તો પહેલાં એ જીવને બંધ અવશ્ય
હોવો જોઈએ. કેમ કે જો બંધ ન હોય તો મોક્ષ કેવી રીતે હોઈ શકે? અબંધની (બંધાયેલો
ન હોય તેની) મુક્તિ થતી નથી તો મુઞ્ચ્ ધાતુનો પ્રયોગ જ નકામો છે.’ શુદ્ધ નિશ્ચયનયથી
બંધ નથી તથા બંધપૂર્વક મોક્ષ પણ નથી. જો શુદ્ધ નિશ્ચયનયથી બંધ હોય તો સદાય બંધ
कौतस्कुती तव भवेद्विफला प्रसूतिः कंखिद कलुसिदभूतो कामभोगेहिं मुच्छिदो जीवो
ण य भुंजंतो भोगे बंधदि भावेण कम्माणि ’’ इत्याद्यपध्यानंत्यक्त्वा‘‘ममत्तिं
परिवज्जामि णिम्ममत्तिमुवट्ठिदो आलंवणं च मे आदा अवसेसाइं वोसरे आदा खु मज्झ
णाणे आदा मे दंसणे चरित्ते य आदा पच्चक्खाणे आदा मे संवरे जोगे एगो मे सस्सदो
अप्पा णाणदंसणलक्खणो सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा ’’
इत्यादिसारपदानि गृहीत्वा च ध्यानं कर्त्तव्यमिति
अथ मोक्षविषये पुनरपि नयविचारः कथ्यते तथा हिमोक्षस्तावत् बंधपूर्वकः
तथाचोक्तं‘‘मुक्तश्चेत् प्राक्भवेद्बन्धो नो बन्धो मोचनं कथम् अबन्धे मोचनं नैव
मुञ्चेरर्थो निरर्थकः ’’ बंधश्च शुद्धनिश्चयनयेन नास्ति, तथा बंधपूर्वको मोक्षोऽपि यदि
पुनः शुद्धनिश्चयेन बंधो भवति तदा सर्वदैव बंध एव, मोक्षो नास्ति किंचयथा
૧. શ્રી મૂળાચાર અ. ૨ ગા. ૮૧. ૨.શ્રી નિયમસાર ગાથા ૯૯.
૩. શ્રી નિયમસાર ગાથા ૧૦૦. ૪.શ્રી નિયમસાર ગાથા ૧૦૨.
૫. શ્રી પરમાત્મ પ્રકાશ અ. ૧ ગાથા ૫૯ ટીકા.
૨૫૮ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ