Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 259 of 272
PDF/HTML Page 271 of 284

 

background image
જ રહે, મોક્ષ થાય જ નહિ. વિશેષઃજેવી રીતે સાંકળથી બંધાયેલા પુરુષને, બંધનાશના
કારણભૂત ભાવમોક્ષસ્થાનીય (બંધને છેદવાના કારણભૂત જે ભાવમોક્ષ તેના સમાન)
સાંકળના બંધનને છેદવાના કારણભૂત જે ઉદ્યમ તે પુરુષનું સ્વરૂપ નથી, તેમ જ
દ્રવ્યમોક્ષસ્થાનીય જે સાંકળ અને પુરુષનું પૃથક્કરણ (જુદા પડવું) તે પણ પુરુષનું સ્વરૂપ
નથી, પરંતુ તે બન્નેથી (ઉદ્યમથી તેમ જ સાંકળથી પુરુષના પૃથક્કરણથી) જુદું જે હસ્ત
પાદાદિરૂપ જોવામાં આવે છે તે જ પુરુષનું સ્વરૂપ છે. તેવી જ રીતે શુદ્ધોપયોગલક્ષણવાળું
ભાવમોક્ષનું સ્વરૂપ તે શુદ્ધનિશ્ચયથી જીવનું સ્વરૂપ નથી, તેમજ તેનાથી સાધ્ય જીવ અને
કર્મના પ્રદેશોના પૃથક્કરણરૂપ (જુદા પડવારૂપ) દ્રવ્યમોક્ષ તે પણ જીવનો સ્વભાવ નથી,
પરંતુ તે બન્નેથી (ભાવમોક્ષથી તેમજ દ્રવ્યમોક્ષથી) ભિન્ન જે અનંત જ્ઞાનાદિ ગુણરૂપ
સ્વભાવવાળું છે, ફળભૂત છે, તે જ શુદ્ધ જીવનું સ્વરૂપ છે. અહીં તાત્પર્ય એ છે કે, જેમ
વિવક્ષિત
એકદેશશુદ્ધનિશ્ચયનયથી પૂર્વે મોક્ષમાર્ગનું વ્યાખ્યાન છે તેમ પર્યાયમોક્ષરૂપ જે
મોક્ષ છે તે પણ એકદેશશુદ્ધનિશ્ચયનયથી છે, પરંતુ શુદ્ધ નિશ્ચયનયથી નથી. જે શુદ્ધ
દ્રવ્યશક્તિરૂપ શુદ્ધ પારિણામિકપરમભાવ લક્ષણવાળો પરમનિશ્ચયમોક્ષ છે તે તો જીવમાં
પહેલેથી જ વિદ્યમાન છે, તે (પરમનિશ્ચયમોક્ષ) જીવમાં હવે થશે એમ નથી. તે જ પરમ
નિશ્ચયમોક્ષ રાગાદિ વિકલ્પ રહિત, મોક્ષના કારણભૂત, ધ્યાનભાવના
પર્યાયમાં ધ્યેય થાય
છે, પરંતુ તે નિશ્ચયમોક્ષ ધ્યાનભાવના પર્યાયરૂપ નથી. જો એકાંતે દ્રવ્યાર્થિકનયથી પણ તેને
જ (પરમ નિશ્ચય
મોક્ષને જ મોક્ષના કારણભૂત ધ્યાનભાવનાપર્યાય કહેવામાં આવે તો દ્રવ્ય
श्रृङ्खलाबद्धपुरुषस्य बंधच्छेदकारणभूतभावमोक्षस्थानीयं बंधच्छेदकारणभूतं पौरुषं पुरुषस्वरूपं न
भवति, तथैव श्रृङ्खलापुरुषयोर्यद्द्रव्यमोक्षस्थानीयं पृथक्करणं तदपि पुरुषस्वरूपं न भवति
किंतु
ताभ्यां भिन्नं यद्दृष्टं हस्तपादादिरूपं तदेव पुरुषस्वरूपम् तथैव शुद्धोपयोगलक्षणं
भावमोक्षस्वरूपं शुद्धनिश्चयेन जीवस्वरूपं न भवति, तथैव तेन साध्यं यज्जीवकर्मप्रदेशोः
पृथक्करणं द्रव्यमोक्षरूपं तदपि जीवस्वभावो न भवति; किंतु ताभ्यां भिन्नं
यदनन्तज्ञानादिगुणस्वभावं फलभूतं तदेव शुद्धजीवस्वरूपमिति
अयमत्रार्थ :यथा
विवक्षितैकदेशशुद्धनिश्चयेन पूर्वं मोक्षमार्गो व्याख्यातस्तथा पर्यायमोक्षरूपो मोक्षोऽपि, न च
शुद्धनिश्चयनयेनेति
यस्तु शुद्धद्रव्यशक्तिरूपः शुद्धपारिणामिकपरमभावलक्षणपरमनिश्चयमोक्षः,
स च पूर्वमेव जीवे तिष्ठतीदानीं भविष्यतीत्येवं न स एव रागादिविकल्परहिते मोक्षकारणभूते
ध्यानभावनापर्याये ध्येयो भवति, न च ध्यानभावनापर्यायरूपः यदि पुनरेकान्तेन
द्रव्यार्थिकनयेनापि स एव मोक्षकारणभूतो ध्यानभावना पर्यायो भण्यते तर्हि
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૫૯