Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 6-11 (Laghudravyasangrah).

< Previous Page   Next Page >


Page 266 of 272
PDF/HTML Page 278 of 284

 

background image
वण्णरस गंधफासा विज्जंते जस्स जिणवरुद्दिट्ठा
मुत्तो पुग्गलकाओ पुढवी पहुदी हु सो सोढा ।।।।
અર્થઃજેને વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ વિદ્યમાન છે તે મૂર્તિક પુદ્ગલકાય પૃથ્વી
વગેરે છ પ્રકારની શ્રી જિનેંદ્રદેવે કહી છે. ૬.
पुढवी जलं च छाया चउरिंदियविसय कम्म परमाणू
छव्विहभेयं भणियं पुग्गलदव्वं जिणिंदेहिं ।।।।
અર્થઃપૃથ્વી, જળ, છાયા, (નેત્રેન્દ્રિય સિવાયની) ચાર ઇન્દ્રિયોના વિષયો,
કર્મવર્ગણા અને પરમાણુ; શ્રી જિનેંદ્રદેવે પુદ્ગલ દ્રવ્યને (ઉપરોક્ત) છ પ્રકારનું કહ્યું
છે. ૭.
गईपरिणयाण धम्मो पुग्गलजीवाण गमणसहयारी
तोयं जह मच्छाणं अच्छंता णेव सो णेई ।।।।
અર્થઃગતિરૂપે પરિણમેલા પુદ્ગલ અને જીવોને ગમનમાં સહકારી ધર્મદ્રવ્ય છે,
જેમ માછલીને (ગમન કરવામાં) જળ સહકારી છે. ગમન ન કરનાર (પુદ્ગલ અને જીવો)
ને તે (
ધર્મદ્રવ્ય) ગતિ કરાવતું નથી. ૮.
ठाणजुयाण अधम्मो पुग्गलजीवाण ठाणसहयारी
छाया जह पहियाणं गच्छांता णेव सो धरई ।।।।
અર્થઃસ્થિત થતા પુદ્ગલ અને જીવોને સ્થિર થવામાં સહકારી અધર્મદ્રવ્ય છે;
જેમ છાંયો મુસાફરોને સ્થિર થવામાં સહકારી છે. ગમન કરતા જીવ અને પુદ્ગલોને તે
(અધર્મ દ્રવ્ય) સ્થિર કરાવતું નથી. ૯.
अवगासदाणजोग्गं जीवादीणं वियाण आयासं
जेण्हं लोगागासं अल्लोगागासमिदि दुविहं ।।१०।।
અર્થઃજે જીવ આદિ દ્રવ્યોને અવકાશ દેવાને યોગ્ય છે તેને (શ્રી જિનેંદ્રદેવે
કહેલ) આકાશ દ્રવ્ય જાણો. જેના લોકાકાશ અને અલોકાકાશ એવા બે પ્રકાર છે. ૧૦.
द्रव्यपरियट्टजादो जो सो कालो हवेइ ववहारो
लोगागासपएसो एक्केक्काणु य परमट्ठो ।।११।।
૨૬૬ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ