Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 12-16 (Laghudravyasangrah).

< Previous Page   Next Page >


Page 267 of 272
PDF/HTML Page 279 of 284

 

background image
અર્થઃજે દ્રવ્યોના પરિવર્તનથી ઉત્પન્ન થાય છે તે વ્યવહારકાળ છે; લોકાકાશમાં
દરેક પ્રદેશ ઉપર એકેક કાલાણુ સ્થિત છે, તે પરમાર્થ (નિશ્ચય) કાળ છે. ૧૧.
लोयायासपदेसे एक्केक्के जि ट्ठिया हु एक्केक्का
रयणाणं रासीमिव ते कालाणू असंखदव्वाणि ।।१२।।
અર્થઃજે લોકાકાશના એકેક પ્રદેશ ઉપર રત્નોની રાશિ જેમ એકેક (કાલાણુ)
સ્થિત છે, તે કાલાણુ અસંખ્યાત દ્રવ્ય છે. ૧૨.
संखातीदा जीवे धम्माऽधम्मे अणंत आयासे
संखादासंखादा मुत्ति पदेसाउ संति णो काले ।।१३।।
અર્થઃએક જીવદ્રવ્યમાં, ધર્મદ્રવ્યમાં અને અધર્મદ્રવ્યમાં અસંખ્યાત પ્રદેશો છે,
આકાશ દ્રવ્યમાં અનંત પ્રદેશ છે, પુદ્ગલમાં સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશો છે;
કાળમાં પ્રદેશો નથી. (કાળાણુ એકપ્રદેશી છે, તેમાં શક્તિ અથવા વ્યક્તિની અપેક્ષાએ
બહુપ્રદેશીપણું નથી.) ૧૩.
जावदियं आयासं अविभागीपुग्लाणुवट्टद्धं
तं खु पदेसं जाणे सव्वाणुट्ठाणदाणरिहं ।।१४।।
અર્થઃઅવિભાગી પુદ્ગલ અણુ વડે જેટલું આકાશ રોકાય તેને પ્રદેશ જાણો.
તે પ્રદેશ બધા (પુદ્ગલ) પરમાણુઓને સ્થાન દેવામાં સમર્થ છે. ૧૪.
जीवो णाणी पुग्गलधम्माऽधम्मायासा तहेव कालो य
अज्जीवा जिणभणिओ ण हु मण्णइ जो हु सो मिच्छो ।।१५।।
અર્થઃજીવ જ્ઞાની છે, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ અજીવ છે,
એમ શ્રી જિનેંદ્રદેવે કહ્યું છે, જે આમ નથી માનતો તે મિથ્યાદ્રષ્ટિ છે. ૧૫.
मिच्छत्तं हिंसाई कसाय - जोगा य आसवो बंधो
सकसाई जं जीवो परिगिण्हइ पोग्गलं विविहं ।।१६।।
અર્થઃમિથ્યાત્વ, હિંસા આદિ (અવ્રત), કષાય અને યોગોથી આસ્રવ થાય છે;
કષાય સહિત જીવ જે વિવિધ પ્રકારનાં પુદ્ગલોને ગ્રહણ કરે છે તે બંધ છે. ૧૬.
લઘુદ્રવ્યસંગ્રહ [ ૨૬૭