Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 17-22 (Laghudravyasangrah).

< Previous Page   Next Page >


Page 268 of 272
PDF/HTML Page 280 of 284

 

background image
मिच्छत्ताईचाओ संवर जिण भणइ णिज्जरादेसे
कम्माण खओ सो पुण अहिलसिओ अणहिलसिओ य ।।१७।।
અર્થઃશ્રી જિનેંદ્રદેવે મિથ્યાત્વ આદિના ત્યાગને સંવર કહેલ છે, કર્મોનો એકદેશ
ક્ષય તે નિર્જરા છે અને તે (નિર્જરા) અભિલાષા સહિત અને અભિલાષા રહિત (સકામ,
અકામ) એમ બે પ્રકારની છે. ૧૭.
कम्म बंधणबद्धस्य सब्भूदस्संतरप्पणो
सव्वकम्मविणिम्मुक्को मोक्खो होइ जिणेडिदो ।।१८।।
અર્થઃકર્મોના બંધનથી બદ્ધ સદ્ભૂત (પ્રશસ્ત) અંતરાત્માને જે સર્વકર્મોથી
(પૂર્ણપણે) મુક્ત થવું તે મોક્ષ છેએમ શ્રી જિનેંદ્રદેવે વર્ણન કર્યું છે. ૧૮.
सादाऽऽउणामगोदाणं पयडीओ सुहा हवे
पुण्ण तित्त्थयरादी अण्णं पावं तु आगमे ।।१९।।
અર્થઃશાતાવેદનીય, શુભ આયુષ્ય, શુભ નામ અને શુભ ગોત્ર તેમ જ તીર્થંકર
આદિ પ્રકૃતિઓ તે પુણ્ય - પ્રકૃતિઓ છે; બાકીની બીજી પાપ - પ્રકૃતિઓ છે, એમ પરમાગમમાં
કહ્યું છે. ૧૯.
णासइ णर - पज्जाओ उप्पज्जइ देवपज्जओ तत्थ
जीवो स एव सव्वस्सभंगुप्पाया धुवा एवं ।।२०।।
અર્થઃમનુષ્ય પર્યાય નાશ પામે છે, દેવ પર્યાય ઉત્પન્ન થાય છે અને જીવ તેનો
તે જ રહે છે; એવી રીતે સર્વ દ્રવ્યોને ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય હોય છે. ૨૦.
उप्पादप्पद्धंसा वत्त्थूणं होंति पज्जय - णाएण (णयण)
दव्वट्ठिएण णिच्चा बोधव्वा सव्वजिणवुत्ता ।।२१।।
અર્થઃવસ્તુમાં ઉત્પાદ અને વ્યય પર્યાયનયથી થાય છે, દ્રવ્યદ્રષ્ટિથી વસ્તુ નિત્ય
છે એમ જાણવું; શ્રી સર્વજ્ઞ જિનેન્દ્રદેવે આમ કહ્યું છે. ૨૧.
एवं अहिगयसुत्तो सट्ठाणजुदो मणो णिरुंभिता
छंडउ रायं रोसं जइ इच्छइ कम्मणो णास (णासं) ।।२२।।
અર્થઃજો કર્મોનો નાશ કરવા ઇચ્છતા હો તો તે પ્રમાણે સૂત્રના જ્ઞાતા થઈને,
પોતાનામાં સ્થિત રહીને અને મનને રોકીને રાગ અને દ્વેષને છોડો. ૨૨.
૨૬૮ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ