Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 5 : Gnanopayogana Bhed Tatha Swaroop.

< Previous Page   Next Page >


Page 16 of 272
PDF/HTML Page 28 of 284

 

background image
શ્રોત્રેન્દ્રિયાવરણનો ક્ષયોપશમ હોવાથી પોતપોતાની બહિરંગ દ્રવ્યેન્દ્રિયના આલંબનથી, મૂર્ત
પદાર્થના સત્તાસામાન્યને વિકલ્પ વિના (-નિરાકારપણે) પરોક્ષરૂપે જે એકદેશ દેખે છે તે
અચક્ષુદર્શન છે.તેવી જે રીતે મન-ઇન્દ્રિયાવરણના ક્ષયોપશમથી અને સહકારી કારણરૂપ
આઠ પાંખડીવાળા કમળના આકારરૂપ દ્રવ્યમનના આલંબનથી, મૂર્ત અને અમૂર્ત સમસ્ત
વસ્તુઓના સત્તા સામાન્યને વિકલ્પ વિના પરોક્ષરૂપે જે દેખે છે તે માનસ-અચક્ષુદર્શન છે.
તે જ આત્મા અવધિદર્શનાવરણના ક્ષયોપશમથી મૂર્ત વસ્તુના સત્તાસામાન્યને વિકલ્પ વિના
જે એકદેશ-પ્રત્યક્ષરૂપે દેખે છે તે અવધિદર્શન છે. તથા જે સહજશુદ્ધ છે અને સદા આનંદ
જેનું એક રૂપ છે એવા પરમાત્મતત્ત્વની સંવિત્તિની પ્રાપ્તિના બળથી, કેવળદર્શનાવરણનો
ક્ષય થતાં, મૂર્ત
અમૂર્ત સમસ્ત વસ્તુના સત્તાસામાન્યને વિકલ્પ વિના સકલ-પ્રત્યક્ષરૂપે જે
એક સમયમાં દેખે છે તે ઉપાદેયભૂત ક્ષાયિક કેવળદર્શન જાણવું. ૪.
હવે આઠ ભેદોવાળા જ્ઞાનોપયોગનું પ્રતિપાદન કરે છે
જ્ઞાનભેદ મતિ શ્રુત અવધિકા, ભલેબુરેતૈ હૈ છહૈતિકા;
મનપર્યય કેવલ મિલિ આઠ, હૈ પરતક્ષ પરોક્ષ સુપાઠ. ૫.
श्रोत्रेन्द्रियावरणक्षयोपशमत्वात्स्वकीयस्वकीयबहिरङ्गद्रव्येन्द्रियालम्बनाच्च मुर्त्तं सत्तासामान्यं
विकल्परहितं परोक्षरूपेणैकदेशेन यत्पस्यति तदचक्षुर्दर्शनम्
तथैव च मनइन्द्रिया-
वरणक्षयोपशमात्सहकारिकारणभूताष्टदलपद्माकारद्रव्यमनोऽवलम्बनाच्च मूर्त्तामूर्त्तसमस्तवस्तु-
गतसत्तासामान्यं विकल्परहितं परोक्षरूपेण यत्पश्यति तन्मानसमचक्षुर्दर्शनम्
स एवात्मा
यदवधिदर्शनावरणक्षयोपशमान्मूर्त्तवस्तुगतसत्तासामान्यं निर्विकल्परूपेणैकदेशप्रत्यक्षेण यत्पश्यति
तदवधिदर्शनम्
यत्पुनः सहजशुद्धसदानन्दैकरूपपरमात्मतत्त्वसंवित्तिप्राप्तिबलेन केवल-
दर्शनावरणक्षये सति मूर्त्तामूर्त्तसमस्तवस्तुगतसत्तासामान्यं विकल्परहितं सकलप्रत्यक्ष-
रूपेणैकसमये पश्यति तदुपादेयभूतं क्षायिकं केवलदर्शनं ज्ञातव्यमिति
।।।।
अथाष्टविकल्पं ज्ञानोपयोगं प्रतिपादयति
णाणं अट्ठियप्पं मदिसुदिओही अणाणणाणाणि
मणपज्जवकेवलमवि पच्चक्खपरोक्खभेयं च ।।।।
૧૬ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ