Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 18 of 272
PDF/HTML Page 30 of 284

 

background image
वस्त्वेकदेशेन विकल्पाकारेण परोक्षरूपेण सांव्यवहारिकप्रत्यक्षरूपेण वा यज्जानाति
तत्क्षायोपशमिकं मतिज्ञानम्
किञ्चः छद्मस्थानां वीर्यान्तरायक्षयोपशमः केवलिनां तु
निरवशेषक्षयो ज्ञानचारित्राद्युत्पत्तौ सहकारी सर्वत्र ज्ञातव्यः संव्यवहारलक्षणं कथ्यते
समीचीनो व्यवहारः संव्यवहारः प्रवृत्तिनिवृत्तिलक्षणः संव्यवहारो भण्यते संव्यवहारे भवं
सांव्यवहारिकं प्रत्यक्षम् यथा घटरूपमिदं मया दृष्टमित्यादि तथैव श्रुतज्ञानारवरण-
क्षयोपशमान्नोइन्द्रियावलम्बनाच्च प्रकाशोपाध्यायादिबहिरङ्गसहकारिकारणाच्च मूर्त्तामूर्त्तवस्तु-
लोकालोकव्याप्तिज्ञानरूपेण यदस्पष्टं जानाति तत्परोक्षं श्रुतज्ञानं भण्यते
किञ्च विशेषः
शब्दात्मकं श्रुतज्ञानं परोक्षमेव तावत्, स्वर्गापवर्गादिबहिर्विषयपरिच्छित्तिपरिज्ञानं विकल्परूपं
तदपि परोक्षं, यत्पुनरभ्यन्तरे सुखदुःखविकल्परूपोऽहमनन्तज्ञानादिरूपोऽहमिति वा तदीषत्
ક્ષયોપશમથી તથા બહિરંગ પંચેન્દ્રિય તેમ જ મનના અવલંબનથી મૂર્ત તેમ જ અમૂર્ત
વસ્તુઓને, એકદેશ, વિકલ્પાકારે, પરોક્ષરૂપે અથવા સાંવ્યવહારિક પ્રત્યક્ષરૂપે જે જાણે છે તે
ક્ષાયોપશમિક મતિજ્ઞાન છે. છદ્મસ્થોને જ્ઞાન
ચારિત્રાદિની ઉત્પત્તિમાં વીર્યાન્તરાયનો
ક્ષયોપશમ અને કેવળીઓને સર્વથા ક્ષય સર્વત્ર સહકારી જાણવો.
હવે સંવ્યવહારનું લક્ષણ (સ્વરૂપ) કહેવામાં આવે છે. સમીચીન વ્યવહાર તે
સંવ્યવહાર છે. પ્રવૃત્તિનિવૃત્તિસ્વરૂપ સંવ્યવહાર કહેવાય છે. સંવ્યવહારે જે હોય તે
સાંવ્યવહારિક પ્રત્યક્ષ
જેમકે ‘ઘટનું રૂપ આ મેં જોયું’ વગેરે.
શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમથી અને મનના અવલંબનથી તેમ જ પ્રકાશ, ઉપાધ્યાયાદિ
બહિરંગ સહકારી કારણોથી મૂર્ત - અમૂર્ત વસ્તુને લોક - અલોકને વ્યાપ્તિજ્ઞાનરૂપે જે અસ્પષ્ટ
જાણે છે તે પરોક્ષ શ્રુતજ્ઞાન કહેવાય છે.
વળી વિશેષજે શબ્દાત્મક શ્રુતજ્ઞાન છે તે તો પરોક્ષ જ છે (પણ) સ્વર્ગ,
મોક્ષાદિ બાહ્ય વસ્તુઓનો બોધ કરાવનાર વિકલ્પરૂપ જે જ્ઞાન છે તે પણ પરોક્ષ છે
અને જે અભ્યંતરમાં ‘સુખ
- દુઃખના વિકલ્પરૂપ હું છું,’ ‘અનંતજ્ઞાનાદિરૂપ હું છું’એવું
૧. કાર્યકાળે સાથે રહેનારનિમિત્ત સહચર. શ્રી ગોમ્મટસારજીવકાંડની ગાથા ૫૬૭ ની મોટી ટીકામાં
ધર્માસ્તિકાયને ગમનમાં ‘સહકારી કારણ’ કહેવામાં આવેલ છે. ત્યાં ‘સહકારી કારણ’નો અર્થ આ પ્રમાણે
સમજાવ્યો છેઃ
‘‘સ્વયમેવ જ ગમનાદિ ક્રિયારૂપ વર્તતાં જે જીવપુદ્ગલ તેમને ધર્માસ્તિકાય સહકારી
કારણ છે. તેમાં તેનું કારણપણું એટલું જ છે કે જ્યાં ધર્માદિક દ્રવ્ય હોય ત્યાં જીવપુદ્ગલ ગમનાદિ
ક્રિયારૂપ વર્તે છે.’’ નિમિત્ત હોય અને ઉપાદાન જ્યાં પોતાનું કામ પોતાથી જ કરે છે. ત્યાં નિમિત્તને
‘સહકારી’ કહેવાય છે. આવો ‘સહકારી’ નો અર્થ સમજવો.
૧૮ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ