Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 9 : Jeeva Shuddhanayathi Nirvikar Sukhamrutano Bhokta Chhe Topan Ashuddhanaythi Sansarik Sukh-Dukhano Bhokta Thay Chhe.

< Previous Page   Next Page >


Page 26 of 272
PDF/HTML Page 38 of 284

 

background image
न च हस्तादिव्यापाररूपाणामिति यतो हि नित्यनिरञ्जननिष्क्रियनिजात्मस्वरूपभावनारहितस्य
कर्मादिकर्तृत्वं व्याख्यातम्, ततस्तत्रैव निजशुद्धात्मनि भावना कर्तव्या एवं सांख्यमतं
प्रत्येकान्ताकर्तृत्वनिराकरणमुख्यत्वेन गाथा गता ।।।।
अथ यद्यपि शुद्धनयेन निर्विकारपरमाह्लादैकलक्षणसुखामृतस्य भोक्ता तथाप्यशुद्धनयेन
सांसारिकसुखदुःखस्यापि भोक्तात्मा भवतीत्याख्याति
ववहारा सुहदुक्खं पुग्गलकम्मप्फलं पभुंजेहि
आदा णिच्छयणयदो चेदणभावं खु आदस्स ।।।।
व्यवहारात् सुखदुःखं पुद्गलकर्म्मफलं प्रभुङ्क्ते
आत्मा निश्चयनयतः चेतनभावं खलु आत्मनः ।।।।
ભાવનારૂપે, વિવક્ષિત એકદેશ શુદ્ધ નિશ્ચયનયથી કર્તા છે અને મુક્ત અવસ્થામાં શુદ્ધનયથી
અનંત જ્ઞાન
સુખાદિ શુદ્ધભાવોનો કર્તા છે.
પરંતુ પરિણમતા એવા શુદ્ધઅશુદ્ધ ભાવોનું જ કર્તાપણું જીવમાં જાણવું, હસ્તાદિના
વ્યાપારરૂપ (પુદ્ગલપરિણામો)નું નહિ.
નિત્યનિરંજનનિષ્ક્રિય નિજાત્મસ્વરૂપની ભાવના રહિત જીવને કર્માદિનું કર્તાપણું
કહ્યું છે, તેથી તે નિજ શુદ્ધાત્મામાં જ ભાવના કરવી.
આ રીતે સાંખ્યમત પ્રત્યે એકાંત અકર્તૃત્વનું (જીવ એકાંતે અકર્તા હોવાનું)
નિરાકરણ કરવાની મુખ્યતાથી ગાથા પૂરી થઈ. ૮.
હવે, જોકે આત્મા શુદ્ધનયથી નિર્વિકાર પરમ આહ્લાદ જેનું એક લક્ષણ છે એવા
સુખામૃતનો ભોક્તા છે, તોપણ અશુદ્ધનયથી સાંસારિક સુખ - દુઃખનો પણ ભોક્તા થાય છે,
એમ કહે છેઃ
૧. શ્રી સમયસારમાં પણ જીવ પુદ્ગલાદિ કે અન્ય જીવોની પર્યાયોનો કર્તા નથી, એમ કર્તાકર્મઅધિકાર
તથા સર્વવિશુદ્ધજ્ઞાનઅધિકારમાં કહ્યું છે. શરીરની, પરપદાર્થોની, બોલવાની, ખાવાપીવાની ઇત્યાદિ
ક્રિયાઓમાં જે અનાદિ અજ્ઞાનથી જીવની કર્તૃત્વબુદ્ધિ છે, તે પોતાના ત્રિકાળ આત્મસ્વરૂપના લક્ષે શુદ્ધરૂપે
પરિણમવાથી જ તૂટે માટે ‘જીવ પરપદાર્થની કોઈ ક્રિયા ખરેખર એક સમય પણ કરી શકતો નથી’
એવો નિર્ણય કરવો
એ આ ગાથાનું તાત્પર્ય છે.
સુખદુઃખમય ફલ પુદ્ગલકર્મ, ભોગૈ નય વ્યવહાર સુમર્મ;
નિશ્ચયનય નિજ ચેતનભાવ, જીવ ભોગવૈ સદા કહાવ. ૯.
૨૬ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ