Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 27 of 272
PDF/HTML Page 39 of 284

 

background image
व्याख्या‘‘ववहारा सुहदुक्खं पुग्गलकम्मफलं पभुंजेदि’’ व्यवहारात् सुखदुःखरूपं
पुद्गलकर्मफलं प्रभुंक्ते स कः कर्त्ता ? ‘‘आदा’’ आत्मा ‘‘णिच्छयणयदो चेदणभावं
आदस्स’ निश्चयनयतश्चेतनभावं भुंक्ते ‘‘खु’’ स्फु टम् कस्य सम्बन्धिनमात्मनः स्वस्येति
तद्यथाआत्मा हि निजशुद्धात्मसंवित्तिसमुद्भूतपारमार्थिकसुखसुधारसभोजनमलभमान
उपचरितासद्भूतव्यवहारेणेष्टानिष्टपञ्चेन्द्रियविषयजनितसुखदुःखं भुंक्ते, तथैवानुपचरिता-
सद्भूतव्यवहारेणाभ्यन्तरे सुखदुःखजनकं द्रव्यकर्म्मरूपं सातासातोदयं भुंक्ते, स
एवाशुद्धनिश्चयनयेन हर्षविषादरूपं सुखदुःखं च भुंक्ते
शुद्धनिश्चयनयेन तु
परमात्मस्वभावसम्यक्श्रद्धानज्ञानानुष्ठानोत्पन्नसदानन्दैकलक्षणं सुखामृतं भुंक्त इति अत्र
यस्यैव स्वाभाविकसुखामृतस्य भोजनाभावादिन्द्रियसुखं भुञ्जानः सन् संसारे परिभ्रमति
ગાથા ૯
ગાથાર્થઃવ્યવહારનયથી આત્મા સુખ - દુઃખરૂપ પુદ્ગલકર્મના ફળને ભોગવે છે
અને નિશ્ચયનયથી પોતાના ચેતનભાવને ભોગવે છે.
ટીકાઃ‘‘ववहारा सुहदुक्खं पुग्गलकम्मफलं पभुंजेदि’’ વ્યવહારનયની અપેક્ષાએ સુખ
દુઃખરૂપ પુદ્ગલકર્મનાં ફળોને ભોગવે છે. તે કર્મફળોનો ભોક્તા કોણ છે? ‘‘आदा’’
આત્મા. ‘‘णिच्छयणयदो चेदणभावं आदस्स’’ નિશ્ચયનયની અપેક્ષાએ ચેતનભાવનો ભોક્તા છે.
‘‘खु’’ પ્રગટપણે, કોના ચેતનભાવનો? આત્માના પોતાના ચેતનભાવનો. તે આવી રીતેઆત્મા
જ નિજ શુદ્ધાત્મસંવિત્તિથી ઉત્પન્ન પારમાર્થિક સુખસુધારસના ભોજનને નહિ પ્રાપ્ત કરતો,
ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી ઇષ્ટ - અનિષ્ટ પંચેન્દ્રિય વિષયજનિત સુખ - દુઃખને ભોગવે
છે, તેવી જ રીતે અનુપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી અંતરંગમાં સુખ - દુઃખજનક
દ્રવ્યકર્મરૂપ શાતા અને અશાતાના ઉદયને ભોગવે છે અને તે જ અશુદ્ધનિશ્ચયનયથી હર્ષ
- વિષાદરૂપ સુખ - દુઃખને ભોગવે છે; શુદ્ધનિશ્ચયનયથી તો પરમાત્મસ્વભાવનાં સમ્યક્ શ્રદ્ધાન
- જ્ઞાન - આચરણથી ઉત્પન્ન, સદા આનંદ જેનું એક લક્ષણ છે એવા સુખામૃતને ભોગવે છે.
અહીં, જે સ્વાભાવિક સુખામૃતના ભોજનના અભાવથી આત્મા ઇન્દ્રિયસુખ
ભોગવતો થકો સંસારમાં પરિભ્રમણ કરે છે, તે જ અતીન્દ્રિય સુખ (સ્વાભાવિક
૧. સંસારમાં પરિભ્રમણ કરનાર પ્રથમ ગુણસ્થાનધારી સર્વે મિથ્યાદ્રષ્ટિ છે. ચતુર્થ ગુણસ્થાનથી સિદ્ધ
સુધીના સર્વે જીવો તેમની ભૂમિકાની શુદ્ધિ અનુસાર આત્મિક અતીન્દ્રિયસુખ ભોગવે છે, એવું આ
ગાથાનું તાત્પર્ય છે.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૨૭