Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 10 : Jeeva Nishchyanayathi Lokpraman Asankhyat Pradeshmatra Hova Chhata Vyavaharanayathi Shareerapraman Chhe.

< Previous Page   Next Page >


Page 28 of 272
PDF/HTML Page 40 of 284

 

background image
तदेवातीन्द्रियसुखं सर्वप्रकारेणोपादेयमित्यभिप्रायः एवं कर्ता कर्मफलं न भुक्तं इति
बौद्धमतनिषेधार्थं भोक्तृत्वयाख्यानरूपेण सूत्रं गतम् ।।।।
अथ निश्चयेन लोकप्रमितासंख्येयप्रदेशमात्रोऽपि व्यवहारेण देहमात्रो जीव
इत्यावेदयति
अणुगुरुदेहपमाणो उवसंहारप्पसप्पदो चेदा
असमुहदो ववहारा णिच्छयणयदो असंखदेसो वा ।।१०।।
अणुगुरुदेहप्रमाणः उपसंहारप्रसर्प्पतः चेतयिता
असमुद्घातात् व्यवहारात् निश्चयनयतः असंख्यदेशो वा ।।१०।।
સુખામૃત) સર્વ પ્રકારે ઉપાદેય છે એવો અભિપ્રાય છે.
આ રીતે, ‘કર્તા, કર્મફળને ભોગવતો નથી’ એ બૌદ્ધમતનો નિષેધ કરવા માટે
‘ભોક્તૃત્વના’ વ્યાખ્યાનરૂપે સૂત્ર પૂરું થયું. ૯.
હવે નિશ્ચયનયથી લોકપ્રમાણ અસંખ્યાત પ્રદેશમાત્ર હોવા છતાં વ્યવહારનયથી,
પોતાના શરીરપ્રમાણ જીવ છે એમ બતાવે છેઃ
ગાથા ૧૦
ગાથાર્થઃસમુદ્ઘાત સિવાય, આ જીવ વ્યવહારનયની અપેક્ષાએ સંકોચ -
પંડિત હીરાલાલજી રચિત અને મથુરા સંઘ દ્વારા પ્રકાશિત દ્રવ્યસંગ્રહની ટીકા પા. ૨૩ માં ગાથા
૯ સંબંધમાં નીચે પ્રમાણે લખ્યું છેઃ
‘‘જીવના કર્તૃત્વ અને ભોક્તૃત્વનું વિવેચન કરવાનો ગ્રંથકારનો એવો અભિપ્રાય છે કે જીવ
યથાર્થ વસ્તુસ્વરૂપને જાણીને, પરની અને વિકારની કર્તૃત્વ અને ભોક્તૃત્વબુદ્ધિને છોડે અને પોતાના
સહજ નિર્વિકાર ચિદાનંદસ્વરૂપ શુદ્ધપર્યાયનો કર્તા
- ભોક્તા થવાનો સતત પ્રયત્ન કરે.’’
પરવસ્તુનું કાંઈ પણ જીવ કરી શકતો નથી તેમ તેને ભોગવી પણ શકતો નથી. અસદ્ભૂત
વ્યવહારનયે શાતાઅશાતાના ઉદયને તથા ઇષ્ટઅનિષ્ટ ઇન્દ્રિયવિષયોને જીવ ભોગવે છે, એમ
કહેવામાં આવે છે.
[અસદ્ભૂત = જૂઠો]
અણુગુરુદેહમાન વ્યવહાર, સકુચૈ ફૈલૈ જિય નિરધાર;
સમુદ્ઘાતબિન કહિએ એમ, નિશ્ચય દેશ અસંખ્ય જુ નેમ. ૧૦.
૨૮ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ