Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 35 of 272
PDF/HTML Page 47 of 284

 

background image
समनस्काः अमनस्काः ज्ञेयाः पंचेन्द्रियाः निर्मनस्काः परे सर्वे
बादरसूक्ष्मैकेन्द्रियाः सर्वे पर्याप्ताः इतरे च ।।१२।।
व्याख्या‘‘समणा अमणा’’ समस्तशुभाशुभविकल्पातीतपरमात्मद्रव्यविलक्षणं
नानाविकल्पजालरूपं मनो भण्यते, तेन सह ये वर्त्तन्ते ते समनस्काः संज्ञिनः, तद्विपरीता
अमनस्का असंज्ञिनः
‘‘णेया’’ ज्ञेया ज्ञातव्याः ‘‘पंचिंदिय’’ ते संज्ञिनस्तथैवासंज्ञिनश्च
पञ्चेन्द्रियाः एवं संज्ञ्यसंज्ञिपञ्चेन्द्रियास्तिर्यञ्च एव, नारकमनुष्यदेवाः संज्ञिपञ्चेन्द्रिया एव
‘‘णिम्मणा परे सव्वे’’ निर्मनस्काः पञ्चेन्द्रियात्सकाशात् परे सर्वे द्वित्रिचतुरिन्द्रियाः
‘‘बादरसुहमेइंदी’’ बादरसूक्ष्मा एकेन्द्रियास्तेऽपि यदष्टपत्रपद्माकारं द्रव्यमनस्तदाधारेण
शिक्षालापोपदेशादिग्राहकं भावमनश्चेति तदुभयाभावादसंज्ञिन एव
‘‘सव्वे पज्जत्त इदरा य’’
एवमुक्तप्रकारेण संज्ञ्यसंज्ञिरूपेण पञ्चेन्द्रियद्वयं द्वित्रिचतुरिन्द्रियरूपेण विकलेन्द्रियत्रयं
ગાથા ૧૨
ગાથાર્થઃપંચેન્દ્રિય જીવ સંજ્ઞી અને અસંજ્ઞી એમ બે પ્રકારના જાણવા; બાકીના
બધા જીવ મનરહિત અસંજ્ઞી છે. એકેન્દ્રિય જીવ બાદર અને સૂક્ષ્મ બે પ્રકારના છે. આ
બધા જીવ પર્યાપ્ત અને અપર્યાપ્ત હોય છે.
ટીકાઃ‘‘समणा अमणा’’ સમસ્ત શુભાશુભવિકલ્પરહિત પરમાત્મદ્રવ્યથી
વિલક્ષણ અનેક પ્રકારના વિકલ્પોની જાળરૂપ મન છે. જે જીવો તે મનસહિત હોય તેને
‘સમનસ્ક’’
સંજ્ઞી અને તેનાથી વિપરીત (અર્થાત્ મનરહિત) હોય તેને ‘અમનસ્ક’
અસંજ્ઞી ‘‘णेया’’જાણવા. ‘‘पंचिंदिय’’ એવા અર્થાત્ સંજ્ઞી અને અસંજ્ઞી એમ બે ભેદવાળા
પંચેન્દ્રિય જીવો હોય છે. આવી રીતે સંજ્ઞી પંચેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય એમ બે
ભેદવાળા તિર્યંચો જ હોય છે; નારકી, મનુષ્ય અને દેવ સંજ્ઞી પંચેન્દ્રિય જ હોય છે.
‘‘णिम्मणा परे सव्वे’’ પંચેન્દ્રિય સિવાયના બીજા બધા દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવો
અમનસ્ક જ હોય છે. ‘‘बादरसमुहमेइंदी’’ બાદર અને સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો છે તેઓ પણ,
આઠ પાખંડીવાળા કમળના આકારવાળું જે દ્રવ્યમન અને તેના આધારે શિક્ષા, વચન,
ઉપદેશાદિને ગ્રહણ કરનાર જે ભાવમન
એ બન્નેથી રહિત હોવાથી અસંજ્ઞી જ છે.
‘‘सव्वे पज्जत्त इदरा य’’ ઉપર કહ્યા પ્રમાણે સંજ્ઞી અને અસંજ્ઞીરૂપે પંચેન્દ્રિયના બે ભેદ,
દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયરૂપે વિકલત્રયના ત્રણ ભેદ તથા બાદર અને સૂક્ષ્મરૂપે
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૩૫