Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 13 : Gunasthanona Nam Ane Lakshan.

< Previous Page   Next Page >


Page 38 of 272
PDF/HTML Page 50 of 284

 

background image
ज्ञातव्याः कतिसंख्योपेतैः ? ‘‘चउदसहि’’ प्रत्येकं चतुर्दशभिः कस्मात् ? ‘असुद्धणया’’
अशुद्धनयात् सकाशात् इत्थंभूताः के भवन्ति ? ‘‘संसारी’’ संसारिजीवाः ‘‘सव्वे सुद्धा
हु सुद्धणया’’ त एव सर्वे संसारिणः शुद्धाः सहजशुद्धज्ञायकैकस्वभावाः कस्मात् ?
शुद्धनयात् शुद्धनिश्चयनयादिति अथागमप्रसिद्धगाथाद्वयेन गुणस्थाननामानि कथयति
‘‘मिच्छो सासण मिस्सो अविरदसम्मो य देसविरदो य विरया पमत्त इयरो अपुव्व अणियठ्ठि
सुहमो य उवसंत खीणमोहो सजोगिकेवलिजिणो अजोगी य चउदस गुणठाणाणि य
कमेण सिद्धा य णायव्वा ’’ इदानीं तेषामेव गुणस्थानानां प्रत्येकं संक्षेपलक्षणं कथ्यते
तथाहिसहजशुद्धकेवलज्ञानदर्शनरूपाखण्डैकप्रत्यक्षप्रतिभासमयनिजपरमात्मप्रभृतिषड्द्रव्य-
पञ्चास्तिकायसप्ततत्त्वनवपदार्थेषु मूढत्रयादिपञ्चविंशतिमलरहितं वीतरागसर्वज्ञप्रणीत-
नयविभागेन यस्य श्रद्धानं नास्ति स मिथ्यादृष्टिर्भवति
पाषाणरेखासदृशानन्तानुबन्धिक्रोध-
છે એમ સમજવું. (માર્ગણા અને ગુણસ્થાનથી) કેટલી સંખ્યાવાળા થાય છે? ‘‘चउदसहि’’
પ્રત્યેક ચૌદચૌદ સંખ્યાવાળા થાય છે. કઈ અપેક્ષાએ? ‘‘असुद्धणया’’ અશુદ્ધનયની
અપેક્ષાએ. આ પ્રકાના કોણ થાય છે? ‘‘संसारी’’ સંસારી જીવો થાય છે. ‘‘सव्वे सुद्धा हु
सुद्धणया’’ તે જ બધા સંસારી જીવો શુદ્ધ છે અર્થાત્ જેનો સહજશુદ્ધજ્ઞાયક એકસ્વભાવ છે
એવા છે. કઈ અપેક્ષાએ? શુદ્ધનયની અપેક્ષાએશુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ.
હવે આગમપ્રસિદ્ધ બે ગાથાઓ દ્વારા ગુણસ્થાનોનાં નામ કહે છેઃ મિથ્યાત્વ,
સાસાદન, મિશ્ર, અવિરત સમ્યક્ત્વ, દેશવિરત, પ્રમત્તવિરત, અપ્રમત્તવિરત, અપૂર્વકરણ,
અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસાંપરાય, ઉપશાંતમોહ, ક્ષીણમોહ, સયોગીકેવળી અને અયોગીકેવળી.
આ રીતે ક્રમપૂર્વક ચૌદ ગુણસ્થાન જાણવા
.
હવે, તે ગુણસ્થાનોમાંથી પ્રત્યેકનું સંક્ષેપથી લક્ષણ કહે છે. તે આ રીતેસહજશુદ્ધ
કેવળજ્ઞાનદર્શનરૂપ અખંડ - એક - પ્રત્યક્ષ - પ્રતિભાસમય નિજપરમાત્મા વગેરે છ દ્રવ્ય, પાંચ
અસ્તિકાય, સાત તત્ત્વ અને નવ પદાર્થોમાં, ત્રણ મૂઢતા વગેરે પચ્ચીસ દોષરહિત, વીતરાગ
- સર્વજ્ઞપ્રણીત નયવિભાગ અનુસાર જે જીવને શ્રદ્ધાન નથી તે જીવ ‘મિથ્યાદ્રષ્ટિ’ છે. ૧.
પથ્થરમાં કોરેલી રેખા સમાન અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભમાંથી કોઈ એકના
૧. ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૯૧૦
૨. સર્વજ્ઞપ્રણીત નયવિભાગમાં શુદ્ધ-બુદ્ધ એકસ્વભાવ પરમાત્મદ્રવ્ય ઉપાદેય છે, અન્ય સર્વ હેય છે. જુઓ
ગાથા ૧૫ ભૂમિકા તથા ચૂલિકા.
૩૮ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ