Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 45 of 272
PDF/HTML Page 57 of 284

 

background image
शुद्धपारिणामिकपरमभावरूपशुद्धनिश्चयेन गुणस्थानमार्गणास्थानरहिता जीवा इत्युक्तं पूर्वम्,
इदानीं पुनर्भव्याभव्यरूपेण मार्गणामध्येऽपि पारिणामिकभावो भणित इति पूर्वापरविरोधः ?
अत्र परिहारमाह
पूर्वं शुद्धपारिणामिकभावापेक्षया गुणस्थानमार्गणानिषेधः कृतः, इदानीं
पुनर्भव्याभव्यत्वद्वयमशुद्धपारिणामिकभावरूपं मार्गणामध्येऽपि घटते ननुशुद्धाशुद्धभेदेन
पारिणामिकभावो द्विविधो नास्ति किन्तु शुद्ध एव ? नैवं यद्यपि सामान्यरूपेणोत्सर्गव्याख्यानेन
शुद्धपारिणामिकभावः कथ्यते तथाप्यपवादव्याख्यानेनाशुद्धपारिणामिकभावोऽप्यस्ति
तथाहि
‘‘जीवभव्याभव्यत्वानि च’’ इति तत्त्वार्थसूत्रे त्रिधा पारिणामिकभावो भणितः, तत्र शुद्ध-
चैतन्यरूपं जीवत्वमविनश्वरत्वेन शुद्धद्रव्याश्रितत्वाच्छुद्धद्रव्यार्थिकसंज्ञः शुद्धपारिणामिकभावो
भण्यते, यत्पुनः कर्मजनितदशप्राणरूपं जीवत्वं, भव्यत्वम्, अभव्यत्वं, चेति, त्रयं, तद्वि-
नश्वरत्वेन पर्यायाश्रितत्वात्पर्यायार्थिकसंज्ञस्त्वशुद्धपारिणामिकभाव उच्यते
अशुद्धत्वं कथमिति
चेत् ? यद्यप्येतदशुद्धपारिणामिकत्रयं व्यवहारेण संसारिजीवेऽस्ति तथापि ‘‘सव्वे सुद्धा हु
અહીં શિષ્ય કહે છેશુદ્ધ પારિણામિકપરમભાવરૂપ શુદ્ધનિશ્ચયથી જીવો ગુણસ્થાન
અને માર્ગણાસ્થાનરહિત છેએમ પહેલાં કહેવામાં આવ્યું છે અને હવે અહીં માર્ગણાના
કથનમાં ભવ્ય અને અભવ્યરૂપે પારિણામિકભાવ કહ્યો. એ રીતે ત્યાં પૂર્વાપર વિરોધ આવે
છે. તેનું અહીં સમાધાન કરે છેઃ
પહેલાં શુદ્ધ પારિણામિકભાવની અપેક્ષાથી ગુણસ્થાન
અને માર્ગણાસ્થાનનો નિષેધ કર્યો હતો, પરંતુ અહીં ભવ્યત્વ અને અભવ્યત્વ એ બે, અશુદ્ધ
પારિણામિકભાવરૂપ હોવાથી, માર્ગણાના કથનમાં ઘટે છે. જો એમ કહેવામાં આવે કે ‘‘શુદ્ધ
અને અશુદ્ધના ભેદથી પારિણામિકભાવ બે પ્રકારનો નથી પણ એક શુદ્ધ જ છે,’’ તો એમ
નથી; જોકે સામાન્યરૂપે ઉત્સર્ગ વ્યાખ્યાનથી શુદ્ધ પારિણામિકભાવ કહેવામાં આવે છે, તોપણ
અપવાદ વ્યાખ્યાનથી અશુદ્ધ પારિણામિકભાવ પણ છે. જેમકે
‘‘जीवभव्याभव्यत्वानि च’’
પ્રમાણે તત્ત્વાર્થસૂત્રમાં જીવત્વ, ભવ્યત્વ, અને અભવ્યત્વરૂપ ત્રણ પ્રકારે પારિણામિકભાવ કહ્યો
છે. ત્યાં શુદ્ધ ચૈતન્યરૂપ જીવત્વ અવિનશ્વરપણાને લીધે શુદ્ધદ્રવ્યને આશ્રિત હોવાથી ‘શુદ્ધ
- દ્રવ્યાર્થિક’ એવી સંજ્ઞાવાળો શુદ્ધ પારિણામિકભાવ કહેવાય છે અને કર્મજનિત દશ પ્રાણરૂપ
જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વરૂપ ત્રણે છે, તે વિનશ્વરપણાને લીધે પર્યાયાશ્રિત હોવાથી
‘પર્યાયાર્થિક’ એવી સંજ્ઞાવાળા અશુદ્ધ પારિણામિકભાવ કહેવાય છે. પ્રશ્નઃ
અશુદ્ધપણું
કેમ? ઉત્તરઃજોકે આ ત્રણ અશુદ્ધ પારિણામિકભાવ વ્યવહારથી સંસારી જીવમાં છે,
તોપણ ‘‘सव्वे सुद्धा हु सुद्धणया’’ [શુદ્ધનયે સર્વ (સંસારી) જીવો ખરેખર શુદ્ધ છે]’’ એ
૧. આ ગાથાના મથાળામાં કહ્યું છે.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૪૫