Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 14 : Siddhonu Swaroop Tatha Urdhvagaman Swabhav.

< Previous Page   Next Page >


Page 47 of 272
PDF/HTML Page 59 of 284

 

background image
‘‘सव्वे सुद्धा हु सुद्धणया’’ इति शुद्धात्मतत्त्वप्रकाशकं तृतीयगाथाचतुर्थपादेन पञ्चास्तिकाय-
प्रवचनसारसमयसाराभिधानप्राभृतत्रयस्यापि बीजपदं सूचितमिति
अत्र गुणस्थानमार्गणादिमध्ये
केवलज्ञानदर्शनद्वयं क्षायिकसम्यक्त्वमनाहारकशुद्धात्मस्वरूपं च साक्षादुपादेयं, यत्पुनश्च
शुद्धात्मसम्यक्श्रद्धानज्ञानानुचरणलक्षणं कारणसमयसारस्वरूपं तत्तस्यैवोपादेयभूतस्य
विवक्षितैकदेशशुद्धनयेन साधकत्वात्पारम्पर्येणोपादेयं शेषं तु हेयमिति
यच्चाध्यात्मग्रन्थस्य
बीजपदभूतं शुद्धात्मस्वरूपमुक्तं तत्पुनरुपादेयमेव अनेन प्रकारेण जीवाधिकारमध्ये
शुद्धाशुद्धजीवकथनमुख्यत्वेन सप्तमस्थले गाथात्रयं गतम् ।।१३।।
अथेदानीं गाथापूर्वार्द्धेन सिद्धस्वरूपमुत्तरार्द्धेन पुनरूर्ध्वगतिस्वभावं च कथयति
णिक्कम्मा अट्ठगुणा किंचूणा चरमदेहदो सिद्धा
लोयग्गठिदा णिच्चा उप्पादवएहिं संजुत्ता ।।१४।।
(ગોમ્મટસારની) ગાથા વગેરેમાં કહ્યું. ‘‘सव्वे सुद्धा हु सुद्धणया (શુદ્ધનયે સર્વ જીવો ખરેખર
શુદ્ધ છે)’’ એ ત્રીજી ગાથાના ચોથા પાદથીકે જે શુદ્ધાત્મતત્ત્વનું પ્રકાશક છે તેનાથી
પંચાસ્તિકાય, પ્રવચનસાર અને સમયસાર એ ત્રણ પ્રાભૃતના બીજપદને સૂચિત કર્યું છે.
અહીં ગુણસ્થાન અને માર્ગણાસ્થાન વગેરેમાં કેવળજ્ઞાન અને કેવળદર્શનએ બે,
ક્ષાયિકસમ્યક્ત્વ, અનાહારક શુદ્ધાત્મસ્વરૂપ સાક્ષાત્ ઉપાદેય છે અને શુદ્ધાત્માનાં સમ્યક્
શ્રદ્ધાન - જ્ઞાન - આચરણરૂપ કારણસમયસાર છે તે, તે જ ઉપાદેયભૂતનો (કેવળજ્ઞાનાદિનો)
વિવક્ષિત એકદેશ શુદ્ધનયની અપેક્ષાએ સાધક હોવાથી પરંપરાએ ઉપાદેય છે; એ સિવાય
બધું હેય છે. જે અધ્યાત્મ
- ગ્રન્થના બીજપદભૂત શુદ્ધાત્મસ્વરૂપ કહ્યું તે તો ઉપાદેય જ છે.
આ રીતે જીવાધિકારમાં શુદ્ધ અને અશુદ્ધ જીવના કથનની મુખ્યતાથી સાતમા સ્થળે
ત્રણ ગાથા પૂરી થઈ. ૧૩.
હવે, અહીં ગાથાના પૂર્વાર્ધથી સિદ્ધોનું સ્વરૂપ અને ઉત્તરાર્ધથી તેમનો ઊર્ધ્વગમન
સ્વભાવ કહે છેઃ
૧. પ્રગટ કરવા યોગ્ય તરીકે ઉપાદેય છે.
અષ્ટકર્મ હતિ અઠ ગુણ પાય, ચરમદેહતૈં કિછૂ ઉનાય;
લોકઅંત થિત સિદ્ધ કહાય, નિત ઉત્પાદ નાશ હૂ ભાય. ૧૪.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૪૭