Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 48 of 272
PDF/HTML Page 60 of 284

 

background image
निष्कर्म्माणः अष्टगुणाः किंचिदूनाः चरमदेहतः सिद्धाः
लोकाग्रस्थिताः नित्याः उत्पादव्ययाभ्यां संयुक्ताः ।।१४।।
व्याख्या‘सिद्धा’ सिद्धा भवन्तीति क्रियाध्याहारः किं विशिष्टाः ? ‘‘णिक्कम्मा
अट्ठगुणा किंचूणा चरमदेहदो’’ निष्कर्माणोऽष्टगुणाः किञ्चिदूनाश्चरमदेहतः सकाशादिति
सूत्रपूर्वार्द्धेन सिद्धस्वरूपमुक्तम्
ऊर्ध्वगमनं कथ्यते ‘लोयग्गठिदा णिच्चा उप्पादवएहिं
संजुत्ता’’ ते च सिद्धा लोकाग्रस्थिता नित्या उत्पादव्ययाभ्यां संयुक्ताः अतो
विस्तरःकर्मारिविध्वंसकस्वशुद्धात्मसंवित्तिबलेन ज्ञानावरणादिमूलोत्तरगतसमस्तकर्मप्रकृति-
विनाशकत्वादष्टकर्मरहिताः ‘‘सम्मत्तणाणदंसणवीरियसुहुमं तहेव अवगहणं अगुरुलहुअव्वबाहं
अट्ठगुणा होंति सिद्धाणं इति गाथाकथितक्रमेण तेषामष्टकर्मरहितानामष्टगुणाः कथ्यन्ते
ગાથા ૧૪
ગાથાર્થઃસિદ્ધ ભગવાન કર્મોથી રહિત છે, આઠ ગુણોના ધારક છે, અંતિમ
શરીરથી કાંઈક ન્યૂન (ઓછા) આકારવાળા છે, લોકના અગ્રભાગે સ્થિત છે, નિત્ય છે અને
ઉત્પાદ
- વ્યયથી યુક્ત છે.
ટીકાઃ‘‘सिद्धा’’ સિદ્ધો હોય છે. એ રીતે અહીં ‘भवन्ति’ (હોય છે)’’ ક્રિયા
અધ્યાહાર છે. કેવા હોય છે? ‘‘णिकम्मा अट्ठगुणाः किंचूणा चरमदेहदो’’ કર્મોથી રહિત, આઠ
ગુણોથી સહિત, અંતિમ શરીરથી કાંઈક ન્યૂન એવા સિદ્ધ છેહોય છે; એ પ્રમાણે ગાથાના
પૂર્વાર્ધથી સિદ્ધોનું સ્વરૂપ કહ્યું. હવે, તેમનો ઊર્ધ્વગમન સ્વભાવ કહેવામાં આવે છેઃ
‘‘लोयग्गठिदा णिच्चा उप्पादवएहिं संजुत्ता’’ તે સિદ્ધ ભગવંતો લોકના અગ્રભાગમાં સ્થિત છે,
નિત્ય છે અને ઉત્પાદ - વ્યયથી સંયુક્ત છે.
હવે વિસ્તાર કહેવામાં આવે છેઃકર્મશત્રુઓના વિધ્વંસક સ્વશુદ્ધાત્માની સંવિત્તિના
(સંવેદનના) બળથી જ્ઞાનાવરણાદિ મૂળ અને ઉત્તર સમસ્ત કર્મપ્રકૃતિઓનો વિનાશ કરવાને
કારણે સિદ્ધભગવાન આઠ કર્મથી રહિત છે.
‘‘सम्मत्तणाणदंसणवीरियसुहुमं तहेव अवगहणं
अगुरुलहुअव्वबाहं अट्ठगुणा होंति सिद्धाणं । (સમ્યક્ત્વ, જ્ઞાન, દર્શન, વીર્ય, સૂક્ષ્મત્વ,
અવગાહન, અગુરુલઘુ અને અવ્યાબાધએ આઠ ગુણો સિદ્ધોને હોય છે)’’ એ ગાથામાં
કહેલા ક્રમપૂર્વક, આઠ કર્મરહિત એવા તે સિદ્ધોના આઠ ગુણો કહેવામાં આવે છે.
૧. વસુનન્દી શ્રાવકાચાર ગાથા-૫૩૭
૪૮ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ