हेतुचतुष्टयेन तथैवाविद्धकुलालचक्रवद् व्यपगतलेपालाबुवदेरण्डबीजवदग्निशिखावच्चेति
दृष्टान्तचतुष्टयेन च स्वभावोर्द्धगमनं ज्ञातव्यं, तच्च लोकाग्रपर्यन्तमेव, न च परतो
धर्मास्तिकायाभावादिति । ‘नित्या’ इति विशेषणं तु, मुक्तात्मनां कल्पशतप्रमितकाले गते
जगति शून्ये जाते सति पुनरागमनं भवतीति सदाशिववादिनो वदन्ति, तन्निषेधार्थं विज्ञेयम् ।
‘उत्पादव्ययसंयुक्तत्वं’, विशेषणं, सर्वथैवापरिणामित्वनिषेधार्थमिति । किञ्च विशेषः
निश्चलाविनश्वरशुद्धात्मस्वरूपाद्भिन्नं सिद्धानां नारकादिगतिषु भ्रमणं नास्ति
कथमुत्पादव्ययत्वमिति ? तत्र परिहारः — आगमकथितागुरुलघुषट्स्थानपतितहानिवृद्धिरूपेण
येऽर्थपर्यायास्तदपेक्षया अथवा येन येनोत्पादव्ययध्रौव्यरूपेण प्रतिक्षणं ज्ञेयपदार्थाः परिणमन्ति
तत्परिच्छित्त्याकारेणानीहितवृत्त्या सिद्धज्ञानामपि परिणमति तेन कारणेनोत्पादव्ययत्वम्, अथवा
व्यञ्जनपर्यायापेक्षया संसारपर्यायविनाशः सिद्धपर्यायोत्पादः, शुद्धजीवद्रव्यत्वेन ध्रौव्यमिति । एवं
હેતુઓ દ્વારા, તેમજ કુંભારના ઘૂમતા ચાકની જેમ, જેનો માટીનો લેપ દૂર થયો હોય એવા
તુંબડાની જેમ, એરંડના બીજની જેમ અને અગ્નિની શિખાની જેમ — આ ચાર દ્રષ્ટાંતો દ્વારા,
જીવને ‘સ્વભાવથી જ ઊર્ધ્વગમન જાણવું,’ અને તે (ઊર્ધ્વગમન) લોકના અગ્રભાગ સુધી
જ થાય છે એથી આગળ થતું નથી, કેમકે ધર્માસ્તિકાયનો (આગળ) અભાવ છે.
‘સિદ્ધ ભગવાન નિત્ય છે’ એમ જે ‘નિત્ય’ વિશેષણ છે તે, સદાશિવવાદી એમ કહે
છે કે ‘કલ્પપ્રમાણ સમય વીત્યે જ્યારે જગત શૂન્ય થઈ જાય છે ત્યારે મુક્ત જીવોનું સંસારમાં
પુનરાગમન થાય છે, તેનો નિષેધ કરવા માટે છે, એમ જાણવું.
સિદ્ધ ભગવાનનું એક વિશેષણ ‘ઉત્પાદ – વ્યયસંયુક્તપણું’ એવું છે, તે સર્વથા
અપરિણામીપણાનો નિષેધ કરવા માટે છે.
વળી અહીં વિશેષ સમજાવવામાં આવે છેઃ — નિશ્ચળ અવિનશ્વર શુદ્ધાત્મસ્વરૂપથી
ભિન્ન નારકાદિ ગતિમાં સિદ્ધોને ભ્રમણ હોતું નથી, તો સિદ્ધોમાં ઉત્પાદ - વ્યય કેવી રીતે
હોય? તેનું સમાધાનઃ — (૧) આગમમાં કહ્યા પ્રમાણે અગુરુલઘુગુણના ષટ્સ્થાનપતિત
હાનિ - વૃદ્ધિરૂપે જે અર્થપર્યાયો છે તે અપેક્ષાએ (સિદ્ધ ભગવાનને ઉત્પાદ - વ્યય ઘટે છે),
અથવા (૨) જ્ઞેય પદાર્થો પોતાના જે જે ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્યરૂપે પ્રતિ સમય પરિણમે છે તેની
જ્ઞપ્તિના આકારે અનીહિતવૃત્તિએ (વિના ઇચ્છાએ) સિદ્ધનું જ્ઞાન પણ પરિણમે છે તે કારણે
સિદ્ધ ભગવાનને ઉત્પાદ - વ્યય ઘટે છે, અથવા (૩) વ્યંજન પર્યાયની અપેક્ષાએ સિદ્ધોને
સંસાર પર્યાયનો વિનાશ, સિદ્ધપર્યાયનો ઉત્પાદ અને શુદ્ધ જીવદ્રવ્યપણે ધ્રૌવ્ય છે.
૫૨ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ