यदि पुनः शक्तिरूपेणाप्यभव्यजीवे केवलज्ञानं नास्ति तदा केवलज्ञानावरणं न घटते ।
भव्याभव्यद्वयं पुनरशुद्धनयेनेति भावार्थः । एवं यथा मिथ्यादृष्टिसंज्ञे बहिरात्मनि नयविभागेन
दर्शितमात्मत्रयं तथा शेषगुणस्थानेष्वपि । तद्यथा — बहिरात्मावस्थायामन्तरात्मपरमात्मद्वयं
शक्तिरूपेण भाविनैगमनयेन व्यक्तिरूपेण च विज्ञेयम्, अन्तरात्मावस्थायां तु बहिरात्मा
भूतपूर्वनयेन घृतघटवत्, परमात्मस्वरूपं तु शक्तिरूपेण भाविनैगमनयेन व्यक्तिरूपेण च ।
परमात्मावस्थायां पुनरन्तरात्मबहिरात्मद्वयं भूतपूर्वनयेनेति । अथ त्रिधात्मानं गुणस्थानेषु
योजयति । मिथ्यात्वसासादनमिश्रगुणस्थानत्रये तारतम्यन्यूनाधिकभेदेन बहिरात्मा ज्ञातव्यः,
अविरतगुणस्थाने तद्योग्याशुभलेश्यापरिणतो जघन्यान्तरात्मा, क्षीणकषायगुणस्थाने पुनरुत्कृष्टः,
अविरतक्षीणकषाययोर्मध्ये मध्यमः, सयोग्ययोगिगुणस्थानद्वये विवक्षितैकदेशशुद्धनयेन
सिद्धसदृशः परमात्मा, सिद्धस्तु साक्षात्परमात्मेति । अत्र बहिरात्मा हेयः,
છે. વળી જો અભવ્ય જીવમાં શક્તિરૂપે પણ કેવળજ્ઞાન ન હોય તો તેને કેવળજ્ઞાનાવરણ
કર્મ સિદ્ધ થતું નથી. ભવ્યપણું અને અભવ્યપણું — એ બન્ને અશુદ્ધનયની અપેક્ષાએ છે, એમ
ભાવાર્થ છે.
એ પ્રમાણે જેમ ‘મિથ્યાદ્રષ્ટિ’ સંજ્ઞાવાળા બહિરાત્મામાં નયવિભાગથી ત્રણ આત્મા
બતાવ્યા તેમ બાકીનાં ગુણસ્થાનોમાં પણ સમજવા. તે આવી રીતે — બહિરાત્મઅવસ્થામાં
અંતરાત્મા અને પરમાત્મા — એ બન્ને શક્તિરૂપે અને ભાવિનૈગમનયથી વ્યક્તિરૂપે પણ રહે
છે, એમ જાણવું. અંતરાત્મ – અવસ્થામાં બહિરાત્મા ભૂતપૂર્વનયે તથા ઘીના ઘડાની જેમ અને
પરમાત્મસ્વરૂપ શક્તિરૂપે તથા ભાવિનૈગમનયથી વ્યક્તિરૂપે પણ રહે છે. પરમાત્મ -
અવસ્થામાં અંતરાત્મા અને બહિરાત્મા બન્ને ભૂતપૂર્વનયથી રહે છે.
હવે, ત્રણે પ્રકારના આત્માઓને ગુણસ્થાનોમાં ઘટાવે છેઃ મિથ્યાત્વ, સાસાદન
અને મિશ્ર — એ ત્રણ ગુણસ્થાનોમાં તારતમ્યરૂપ ન્યૂનાધિક ભેદથી બહિરાત્મા જાણવો.
અવિરત ગુણસ્થાનમાં તેને યોગ્ય અશુભલેશ્યારૂપે પરિણમેલ (જીવ) જઘન્ય અંતરાત્મા
છે અને ક્ષીણકષાય ગુણસ્થાનમાં ઉત્કૃષ્ટ અંતરાત્મા છે; અવિરત અને ક્ષીણકષાય
ગુણસ્થાનની વચ્ચેનાં ગુણસ્થાનોમાં મધ્યમ અંતરાત્મા છે; સયોગી અને અયોગી
ગુણસ્થાનમાં વિવક્ષિત એકદેશશુદ્ધનયની અપેક્ષાએ સિદ્ધસદ્રશ પરમાત્મા છે અને સિદ્ધ
તો સાક્ષાત્ પરમાત્મા છે.
અહીં બહિરાત્મા હેય છે, ઉપાદેયભૂત અનંતસુખનો સાધક હોવાથી અંતરાત્મા
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૫૫