Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 17 : Dharma Dravyanu Vyakhyan.

< Previous Page   Next Page >


Page 62 of 272
PDF/HTML Page 74 of 284

 

background image
अथ धर्मद्रव्यमाख्याति :
गइपरिणयाण धम्मो पुग्गलजीवाण गमणसहयारी
तोयं जह मच्छाणं अच्छंताणेव सो णेई ।।१७।।
गतिपरिणतानां धम्मः पुद्गलजीवानां गमनसहकारी
तोयं यथा मत्स्यानां अगच्छतां नैव सः नयति ।।१७।।
व्याख्यागतिपरिणतानां धर्मो जीवपुद्गलानां गमनसहकारिकारणं भवति
दृष्टान्तमाहतोयं यथा मत्स्यानाम् स्वयं तिष्ठतो नैव स नयति तानिति तथाहि
यथा सिद्धो भगवानमूर्त्तोऽपि निष्क्रियस्तथैवाप्रेरकोऽपि सिद्धवदनन्तज्ञानादिगुण-
स्वरूपोऽहमित्यादिव्यवहारेण सविकल्पसिद्धभक्तियुक्तानां निश्चयेन निर्विकल्पसमाधिरूप-
स्वकीयोपादानकारणपरिणतानां भव्यानां सिद्धगतेः सहकारिकारणं भवति
तथा
હવે, ધર્મદ્રવ્યનું વ્યાખ્યાન કરે છેઃ
ગાથા ૧૭
ગાથાર્થઃગમન કરવામાં પરિણત પુદ્ગલ અને જીવોને ગમનમાં સહકારી
ધર્મદ્રવ્ય છે; જેમ માછલીઓને ગમન કરવામાં જળ સહકારી છે તેમ. ગમન નહિ કરતાં
જીવ અને પુદ્ગલોને તે (
ધર્મદ્રવ્ય) ગમન કરાવતું નથી.
ટીકાઃગતિરૂપે પરિણમેલાં જીવ અને પુદ્ગલોને ગતિ કરવામાં સહકારી કારણ
ધર્મદ્રવ્ય છે. તેનું દ્રષ્ટાંત કહે છેઃ જેમ માછલીઓને ગમન કરવામાં સહાયક જળ છે તેમ.
પોતાની જાતે સ્થિત હોય (
સ્વયં ગતિ ન કરતાં હોય) તેમને (એવાં જીવ-પુદ્ગલોને)
તે ગમન કરાવતું નથી. તે આ પ્રમાણેઃજેવી રીતે સિદ્ધ ભગવાન અમૂર્ત્ત હોવા છતાં,
નિષ્ક્રિય તેમજ અપ્રેરક હોવા છતાં ‘હું સિદ્ધસમાન અનંત જ્ઞાનાદિગુણસ્વરૂપ છું’ ઇત્યાદિ
વ્યવહારથી સવિકલ્પ સિદ્ધભક્તિવાળા એવા, નિશ્ચયથી નિર્વિકલ્પસમાધિરૂપ નિજ
- ઉપાદાનકારણપરિણત જીવોને સિદ્ધગતિના સહકારી કારણ છે, તેવી રીતે નિષ્ક્રિય, અમૂર્ત્ત
૧. સહકારી કારણ = નિમિત્તકાણ.
જીવ રુ પુદ્ગલ ગમન કરાહિ, સહકારી તબ ગિનિયે તાહિ;
ધર્મદ્રવ્ય જિમ જલ માછલા, બૈઠેકૂં ન ચલાવૈ બલા. ૧૭.
૬૨ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ