Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 19 : Aakashadravyanu Kathan.

< Previous Page   Next Page >


Page 64 of 272
PDF/HTML Page 76 of 284

 

background image
तद्यथास्वसंवित्तिसमुत्पन्नसुखामृतरूपं परमस्वास्थ्यं यद्यपि निश्चयेन स्वरूपे स्थितिकारणं
भवति तथा ‘‘सिद्धोऽहं सुद्धोऽहं अणंतणाणाइगुणसमिद्धोऽहं देहपमाणो णिच्चो असंखदेसो
अमुत्तो य ’’ इति गाथाकथितसिद्धभक्तिरूपेणेह पूर्वं सविकल्पावस्थायां सिद्धोऽपि यथा
भव्यानां बहिरङ्गसहकारिकारणं भवति तथैव स्वकीयोपादानकारणेन स्वयमेव तिष्ठतां
जीवपुद्गलानामधर्मद्रव्यं स्थितेः सहकारिकारणम्
लोकव्यवहारेण तु छायावद्वा पृथिवीवद्वेति
सूत्रार्थः एवमधर्मद्रव्यकथनेन गाथा गता ।।१८।।
अथाकाशद्रव्यमाह :
अवगासदाणजोग्गं जीवादीणं वियाण आयासं
जेण्हं लोगागासं अल्लोगागासमिदि दुविहं ।।१९।।
अवकाशदानयोग्यं जीवादीनां विजानीहि आकाशम्
जैनं लोकाकाशं अलोकाकाशं इति द्विविधम् ।।१९।।
સુખામૃતરૂપ પરમ સ્વાસ્થ્ય જોકે નિશ્ચયનયથી સ્વરૂપમાં સ્થિતિનું કારણ છે તથા ‘‘सिद्धोऽहं
सुद्धोऽहं अणंतणाणाइगुणसमिद्धोऽहं देहपमाणो णिच्चो असंखदेशो अमुत्तो च’’ । (હું સિદ્ધ છું, હું
શુદ્ધ છું, અનંતજ્ઞાનાદિ ગુણોનો હું ધારક છું, હું દેહપ્રમાણ, નિત્ય, અસંખ્યપ્રદેશી અને અમૂર્ત્ત
છું.)’’ એ ગાથામાં કહેલ સિદ્ધભક્તિરૂપે પહેલાં સવિકલ્પ અવસ્થામાં સિદ્ધ પણ જેમ ભવ્યોને
બહિરંગ સહકારી કારણ હોય છે, તેવી જ રીતે પોતાના ઉપાદાનકારણથી સ્વયમેવ સ્થિતિ
ધરતાં જીવ અને પુદ્ગલોને અધર્મદ્રવ્ય સ્થિતિનું સહકારી કારણ છે; લોકવ્યવહારથી છાંયા
અથવા પૃથ્વીની માફક. આમ સૂત્રાર્થ છે.
એ પ્રમાણે અધર્મદ્રવ્યના કથનની ગાથા પૂરી થઈ. ૧૮.
હવે, આકાશદ્રવ્યનું કથન કરે છેઃ
ગાથા ૧૯
ગાથાર્થઃજે જીવાદિ દ્રવ્યોને અવકાશ દેવાને યોગ્ય છે તેને જિનેન્દ્રદેવે કહેલું
આકાશદ્રવ્ય જાણો. લોકાકાશ અને અલોકાકાશ એ રીતે આકાશ બે પ્રકારનું છે.
જીવાદિક સબકૂ અવકાશ, દેય દ્રવ્ય સો ગિનૂં આકાશ;
લોક - અલોક દોય વિધિ અખ્યા, દેવ જિનેશ્વર જૈસૈં લખ્યા. ૧૯.
૬૪ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ