Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 21 : Nishchayakal Ane Vyavaharakalnu Swaroop.

< Previous Page   Next Page >


Page 67 of 272
PDF/HTML Page 79 of 284

 

background image
लोकाकाशप्रमितासंख्येयकालाणुद्रव्याणि, प्रत्येकं लोकाकाशप्रमाणं धर्माधर्मद्वयमित्युक्तलक्षणाः
पदार्थाः कथमवकाशं लभन्त इति ? भगवानाह
एकप्रदीपप्रकाशे नानाप्रदीप-
प्रकाशवदेकगूढरसनागगद्याणके बहुसुवर्णवद्भस्मघटमध्ये सूचिकोष्ट्रदुग्धवदित्यादिदृष्टान्तेन
विशिष्टावगाहनशक्तिवशादसंख्यातप्रदेशेऽपि लोकेऽवस्थानमवगाहो न विरुध्यते
यदि
पुनरित्थंभूतावगाहनशक्तिर्न भवति तर्ह्यसंख्यातप्रदेशेष्वसंख्यातपरमाणूनामेव व्यवस्थानं, तथा
सति सर्वे जीवा यथा शुद्धनिश्चयेन शक्तिरूपेण निरावरणाः शुद्धबुद्धैकस्वभावास्तथा
व्यक्तिरूपेण व्यवहारनयेनापि, न च तथा प्रत्यक्षविरोधादागमविरोधाच्चेति
एवमाकाशद्रव्यप्रतिपादनरूपेण सूत्रद्वयं गतम् ।।२०।।
अथ निश्चयव्यवहारकालस्वरूपं कथयति :
दव्वपरिवट्टरूवो जो सो कालो हवेइ ववहारो
परिणामादीलक्खो वट्टणलक्खो य परमट्ठो ।।२१।।
લોકમાં અનંત જીવો, તેનાં કરતાં પણ અનંતગુણા પુદ્ગલો, લોકાકાશ પ્રમાણ અસંખ્યાત
કાળદ્રવ્યો, પ્રત્યેક લોકાકાશપ્રમાણ એવા ધર્મ અને અધર્મ બે દ્રવ્યો
એ પદાર્થો કેવી રીતે
અવકાશ મેળવે છે?
ભગવાન ઉત્તર આપે છેઃએક દીપકના પ્રકાશમાં અનેક દીપકોનો પ્રકાશ, એક
ગૂઢ રસના શીશામાં ઘણું સુવર્ણ, રાખથી ભરેલા ઘડામાં સોય તથા ઊંટડીનું દૂધ જેમ સમાઈ
જાય છે
ઇત્યાદિ દ્રષ્ટાંતે, વિશિષ્ટ અવગાહનશક્તિને લીધે અસંખ્યપ્રદેશવાળા લોકમાં પણ
પૂર્વોક્ત પદાર્થોના અવગાહમાં વિરોધ આવતો નથી. વળી, જો આ પ્રકારની અવગાહન-
શક્તિ ન હોય તો લોકના અસંખ્ય પ્રદેશોમાં અસંખ્ય પરમાણુઓનો જ સમાવેશ થાત અને
એમ થતાં જેમ શુદ્ધનિશ્ચયનયથી શક્તિરૂપે બધા જીવો નિરાવરણ અને શુદ્ધ
બુદ્ધએક
સ્વભાવવાળા છે, તેમ વ્યક્તરૂપે વ્યવહારનયથી પણ થઈ જાય! પરંતુ એમ તો નથી, કેમકે
પ્રત્યક્ષ અને આગમબન્ને પ્રકારે તેમાં વિરોધ છે.
આ પ્રમાણે આકાશદ્રવ્યના પ્રતિપાદનરૂપે બે ગાથાઓ પૂરી થઈ. ૨૦.
હવે, નિશ્ચયકાળ અને વ્યવહારકાળનું સ્વરૂપ કહે છેઃ
દ્રવ્યનિકે પરિવર્તનરૂપ, કાલ લખો વ્યવહાર વિરૂપ;
લખ્યો પડૈ પરિણામનિ એહ, નિશ્ચય વર્તન લક્ષણ તેહ. ૨૧.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૬૭