Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 69 of 272
PDF/HTML Page 81 of 284

 

background image
परिस्पन्दलक्षणरूपया वा क्रियया तथैव दूरासन्नचलनकालकृतपरत्वापरत्वेन च लक्ष्यते ज्ञायते
यः, स परिणामक्रियापरत्वापरत्वलक्षण इत्युच्यते
अथ द्रव्यरूपनिश्चयकालमाह
स्वकीयोपादानरूपेण स्वयमेवपरिणममानानां पदार्थानां कुम्भकारचक्रस्याधस्तनशिलावत्,
शीतकालाध्ययने अग्निवत्, पदार्थपरिणतेर्यत्सहकारित्वं सा वर्त्तना भण्यते
सैव लक्षणं यस्य
स वर्त्तनालक्षणः कालाणुद्रव्यरूपो निश्चयकालः, इति व्यवहारकालस्वरूपं निश्चयकालस्वरूपं
च विज्ञेयम्
कश्चिदाह ‘‘समयरूप एव निश्चयकालस्तस्मादन्यः कालाणुद्रव्यरूपो निश्चयकालो
नास्त्यदर्शनात् ?’’ तत्रोत्तरं दीयतेसमयस्तावत्कालस्तस्यैव पर्यायः स कथं पर्याय इति
चेत् ? पर्यायस्तोत्पन्नप्रध्वंसित्वात् तथाचोक्तं ‘‘समओ उप्पण्णं पद्धंसी’’ स च पर्यायो
द्रव्यं विना न भवति, पश्चात्तस्य समयरूपपर्यायकालस्योपादानकारणभूतं द्रव्यं तेनापि
પરિણામથીપર્યાયથી તથા એક પ્રદેશથી બીજે પ્રદેશે ચાલવારૂપ અથવા ગાય દોહવી, રસોઈ
કરવી વગેરે પરિસ્પંદરૂપ ક્રિયાથી તેમજ દૂર કે નજીક ચાલવારૂપ કાળકૃત પરત્વ અને
અપરત્વથી તે લક્ષિત થાય છે
જણાય છે; તેથી તે વ્યવહારકાળ પરિણામ, ક્રિયા, પરત્વ
અને અપરત્વલક્ષણવાળો કહેવાય છે.
હવે, દ્રવ્યરૂપ નિશ્ચયકાળ વિષે કહે છેઃપોતાના ઉપાદાનરૂપે સ્વયમેવ પરિણમતા
પદાર્થોનેકુંભારના ચાકડાને ફરવામાં નીચેની શિલાના સહકારીપણાની પેઠે, ઠંડીમાં
અભ્યાસ કરતા વિદ્યાર્થીને અધ્યયનમાં અગ્નિના સહકારીપણાની પેઠેપદાર્થ પરિણતિમાં
જે સહકારીપણું છે તેને ‘વર્તના’ કહે છે; એ ‘વર્તના’ જેનું લક્ષણ છે તે, વર્તનાલક્ષણવાળો
કાળાણુદ્રવ્યરૂપ ‘નિશ્ચયકાળ’ છે.
એ રીતે વ્યવહારકાળ અને નિશ્ચયકાળનું સ્વરૂપ જાણવું.
કોઈ કહે છે કે, સમયરૂપ જ નિશ્ચયકાળ છે; તેનાથી ભિન્ન બીજો કાળાણુદ્રવ્યરૂપ
નિશ્ચયકાળ નથી, કેમકે તે દેખવામાં આવતો નથી. તેનો ઉત્તર આપે છેઃપ્રથમ તો સમય
કાળનો જ પર્યાય છે. સમય કાળનો પર્યાય કેવી રીતે છે? પર્યાય ઉત્પન્નધ્વંસી હોય છે
તેથી. તથા કહ્યું છે કે
‘‘समओ उप्पण्ण पद्धंसी । (સમય ઉત્પન્ન થાય છે અને નાશ પામે
છે.)’’ અને તે પર્યાય દ્રવ્ય વિના હોતો નથી. તે સમયરૂપ પર્યાયકાળના ઉપાદાનકારણરૂપ
૧. શ્રી પ્રવચનસાર ગાથા ૧૩૯ છેલ્લો ભાગ.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૬૯