Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 22 : Kaladravyana Parinamanama Sahakari (Nimitta) Karan Kon?.

< Previous Page   Next Page >


Page 73 of 272
PDF/HTML Page 85 of 284

 

background image
धारणैकदेशेनापि सर्वत्र परिणमनं भवतीति कालद्रव्यं शेषद्रव्याणां परिणतेः सहकारिकारणं
भवति
कालद्रव्यस्य किं सहकारिकारणमिति ? यथाकाशद्रव्यमशेषद्रव्याणामाधारः स्वस्यापि,
तथा कालद्रव्यमपि परेषां परिणतिसहकारिकारणं स्वस्यापि अथ मतं यथा कालद्रव्यं
स्वस्योपादानकारणं परिणतेः सहकारिकारणं च भवति तथा सर्वद्रव्याणि, कालद्रव्येण किं
प्रयोजनमिति ? नैवम्; यदि पृथग्भूतसहकारिकारणेनप्रयोजनं नास्ति तर्हि सर्वद्रव्याणां
साधारणगतिस्थित्यवगाहनविषये धर्माधर्माकाशद्रव्यैरपि सहकारिकारणभूतैः प्रयोजनं नास्ति
किञ्च, कालस्य घटिकादिवसादिकार्यं प्रत्यक्षेण दृश्यते; धर्मादीनां पुनरागमकथनमेव, प्रत्यक्षेण
किमपि कार्यं न दृश्यते; ततस्तेषामपि कालद्रव्यस्यैवाभावः प्राप्नोति
ततश्च
जीवपुद्गलद्रव्यद्वयमेव, च चागमविरोधः किञ्च, सर्वद्रव्याणां परिणतिसहकारित्वं कालस्यैव
गुणः, घ्राणेन्द्रियस्य रसास्वादनमिवान्यद्रव्यस्य गुणोऽन्यद्रव्यस्य कर्तुं नायाति
द्रव्यसंकरदोषप्रसंगादिति
એક ભાગમાં સ્થિત હોવા છતાં આખા આકાશમાં પરિણમન થાય છે.
શંકાઃકાળદ્રવ્ય બાકીનાં બીજાં દ્રવ્યોનાં પરિણમનને સહકારી કારણ થાય છે;
કાળદ્રવ્યને પરિણમનમાં કોણ સહકારી કારણ થાય છે? સમાધાનઃજેમ આકાશદ્રવ્ય
બીજાં બધાં દ્રવ્યોનો આધાર છે અને પોતાનો પણ આધાર છે, તેમ કાળદ્રવ્ય પણ બીજાં
દ્રવ્યોનાં પરિણમનમાં સહકારી કારણ છે અને પોતાના પરિણમનમાં પણ સહકારી કારણ છે.
શંકાઃજેવી રીતે કાળદ્રવ્ય પોતાના પરિણમનમાં ઉપાદાનકારણ છે અને
સહકારીકારણ પણ છે, તેમ બધાં દ્રવ્યો પણ પોતાના પરિણમનમાં ઉપાદાન અને સહકારી
કારણ હો; તે દ્રવ્યોના પરિણમનમાં કાળદ્રવ્યનું શું પ્રયોજન છે? સમાધાનઃ
એમ નથી.
જો પોતાનાથી ભિન્ન સહકારી કારણનું પ્રયોજન ન હોય તો સર્વ દ્રવ્યોનાં સામાન્ય ગતિ,
સ્થિતિ અને અવગાહનની બાબતમાં સહકારી કારણભૂત એવાં ધર્મ, અધર્મ અને
આકાશદ્રવ્યનું પણ કોઈ પ્રયોજન ન રહે. વળી, કાળદ્રવ્યનું ઘડી, દિવસ આદિ કાર્ય તો
પ્રત્યક્ષપણે દેખાય છે; પણ ધર્મ વગેરે દ્રવ્યોનું તો આગમકથન જ છે, પ્રત્યક્ષપણે તેમનું કોઈ
કાર્ય દેખાતું નથી, તેથી કાળદ્રવ્યની પેઠે તેમનો પણ અભાવ પ્રાપ્ત થાય; અને તો પછી
જીવ અને પુદ્ગલ બે જ દ્રવ્ય રહે. પણ તે તો (તેમ માનવું તે તો) આગમથી વિરુદ્ધ છે.
વળી, સર્વદ્રવ્યોને પરિણમનમાં સહકારી થવું એ કાળદ્રવ્યનો જ ગુણ છે; જેમ ઘ્રાણેન્દ્રિયથી
રસાસ્વાદ થઈ શકતો નથી, તેમ અન્ય દ્રવ્યનો ગુણ અન્ય દ્રવ્ય દ્વારા થઈ શકતો નથી કેમકે,
એમ માનવાથી દ્રવ્યસંકરરૂપ દોષનો પ્રસંગ આવે છે.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૭૩
10