Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 80 of 272
PDF/HTML Page 92 of 284

 

background image
सिद्धत्वपर्यायस्योपादानकारणभूतं शुद्धात्मद्रव्यं तत्पर्यायप्रमाणमेव यथा वा
मनुष्यदेवादिपर्यायोपादानकारणभूतं संसारिजीवद्रव्यं तत्पर्यायप्रमाणमेव, तथा कालद्रव्यमपि
समयरूपस्य कालपर्यायस्य विभागेनोपादानकारणभूतमविभाग्येकप्रदेश एव भवति
अथवा
मन्दगत्या गच्छतः पुद्गलपरमाणोरेकाकाशमप्रदेशपर्यन्तमेव कालद्रव्यं गतेः सहकारिकारणं
भवति ततो ज्ञायते तदप्येकप्रदेशमेव
कश्चिदाहपुद्गलपरमाणोर्गतिसहकारिकारणं धर्मद्रव्यं तिष्ठति, कालस्य
किमायातम् ? नैवं वक्तव्यम्धर्मद्रव्ये गतिसहकारिकारणे विद्यमानेऽपि मत्स्यानां
जलवन्मनुष्याणां शकटारोहणादिवत्सहकारिकारणानि बहून्यपि भवन्ति इति अथ मतं
कालद्रव्यं पुद्गलानां गतिसहकारिकारणं कुत्र भणितमास्ते ? तदुच्यते‘‘पुग्गलकरणा जीवा
खंधा खलु कालकरणादु’’ इत्युक्तं श्रीकुन्दकुन्दाचार्यदेवैः पञ्चास्तिकायप्राभृते अस्यार्थः
कथ्यतेधर्मद्रव्ये विद्यमानेऽपि जीवानाम् कर्मनोकर्मपुद्गला गतेः सहकारिकारणं भवन्ति,
अणुस्कन्धभेदभिन्नपुद्गलानां तु कालद्रव्यमित्यर्थः ।।२५।।
પર્યાયનું ઉપાદાનકારણભૂત જે શુદ્ધાત્મદ્રવ્ય છે તે સિદ્ધત્વપર્યાયપ્રમાણ (તેના સમાન) જ છે,
અથવા જેવી રીતે મનુષ્ય, દેવ આદિ પર્યાયોના ઉપાદાનકારણભૂત જે સંસારી જીવદ્રવ્ય છે
તે એ મનુષ્યાદિ પર્યાયપ્રમાણ (તેના બરાબર જ) જ છે, તેવી રીતે કાળદ્રવ્ય પણ સમયરૂપ
કાળપર્યાયના અવિભાગપણાથી ઉપાદાનકારણભૂત અવિભાગી એકપ્રદેશ જ હોય છે. અથવા
મંદગતિથી ગમન કરતા પુદ્ગલપરમાણુને એક આકાશપ્રદેશ સુધી જ કાળદ્રવ્ય ગતિનું
સહકારી કારણ થાય છે, તેથી જણાય છે કે તે કાળદ્રવ્ય પણ એકપ્રદેશી જ છે.
કોઈ પ્રશ્ન કરે છે કે, પુદ્ગલપરમાણુને ગતિમાં સહકારી કારણ ધર્મદ્રવ્ય છે તેમાં
કાળદ્રવ્યનું શું પ્રયોજન છે? સમાધાનઃએમ કહેવું ન જોઈએ. ગતિમાં સહકારી કારણ
ધર્મદ્રવ્ય વિદ્યમાન હોવા છતાં પણ માછલાને ગતિ કરવામાં જળની જેમ અને મનુષ્યોને
(શકટ
આરોહણની) જેમ બીજાં પણ ઘણાં સહકારી કારણો હોય છે. કોઈ કહે કે કાળદ્રવ્ય
પુદ્ગલોની ગતિમાં સહકારી કારણ છે, એમ ક્યાં કહ્યું છે? તેનો ઉત્તર આપવામાં આવે
છેઃ
શ્રી કુંદકુંદાચાર્યદેવે પંચાસ્તિકાય પ્રાભૃતમાં કહ્યું છે કે‘‘पुग्गलकरणा जीवा खंधा खलु
कालकरणा दु’’ એનો અર્થ કહેવામાં આવે છેઃધર્મદ્રવ્ય વિદ્યમાન હોવા છતાં પણ, જીવોને
ગતિમાં કર્મનોકર્મરૂપ પુદ્ગલો સહકારી કારણ થાય છે અને અણુ તથા સ્કંધએ બે
ભેદવાળા પુદ્ગલોને ગમનમાં કાળદ્રવ્ય સહકારી કારણ થાય છે. ૨૫.
૮૦ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ