Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 84 of 272
PDF/HTML Page 96 of 284

 

background image
दिट्ठा सिद्धेहि अणंतगुणा सव्वेण वितीदकालेण ।।।। ओगाढगाढणिचिदो पोग्गलकाएहिं
सव्वदो लोगो सुहमेहिं बाहरेहिं य णंताणंतेहिं विविधेहिं ।।।।’’ अथ मतं मूर्त्तपुद्गलानां
विभागो भेदो भवतु नास्ति विरोधः, अमूर्त्ताखण्डस्याकाशद्रव्यस्य कथं विभागकल्पनेति ?
तन्न
रागाद्युपाधिरहितस्वसंवेदनप्रत्यक्षभावनोत्पन्नसुखामृतरसास्वादतृप्तस्य मुनियुगलस्यावस्थान-
क्षेत्रमेकमनेकं वा यद्येकं, तर्हि द्वयोरेकत्वं प्राप्नोति, न च तथा भिन्नं चेत्तदा
निर्विभागद्रव्यस्यापि विभागकल्पनमायातं घटाकाशपटाकाशमित्यादिवदिति ।।२७।। एवं
सूत्रपञ्चकेन पञ्चास्तिकायप्रतिपादकनामा तृतीयोऽन्तराधिकारः ।।
इति श्रीनेमिचन्द्रसैद्धान्तदेवविरचिते द्रव्यसंग्रहग्रन्थे नमस्कारादिसप्तविंशतिगाथा-
भिरन्तराधिकारत्रयसमुदायेन षड्द्रव्यपञ्चास्तिकायप्रतिपादकनामा प्रथमोधिकारः
समाप्तः
ભૂતકાળમાં થયેલા સર્વ સિદ્ધોથી અનંતગુણા જીવો દ્રવ્યપ્રમાણથી દેખવામાં આવ્યા છે. આ
લોક સર્વ તરફથી વિવિધ તથા અનંતાનંત સૂક્ષ્મ અને બાદર પુદ્ગલોથી ખીચોખીચ
ભર્યો
છે. ૨.
શંકાઃમૂર્ત એવાં પુદ્ગલોમાં ભેદ હો, એમાં વિરોધ નથી; પરંતુ અમૂર્ત અને
અખંડ આકાશદ્રવ્યમાં ભેદકલ્પના કેવી રીતે હોઈ શકે? સમાધાનઃતે શંકા યોગ્ય નથી.
રાગાદિ ઉપાધિરહિત, સ્વસંવેદનપ્રત્યક્ષભાવનાથી ઉત્પન્ન સુખામૃતના રસાસ્વાદથી તૃપ્ત બે
મુનિઓને રહેવાનું ક્ષેત્ર એક છે કે અનેક (બે) છે? જો બન્નેને રહેવાનું ક્ષેત્ર એક હોય
તો બન્નેનું એકપણું થાય; પણ એમ તો છે નહિ. અને જો કહો કે બન્નેનું નિવાસક્ષેત્ર જુદું
છે, તો નિર્વિભાગ એવા આકાશદ્રવ્યમાં પણ ઘટાકાશ, પટાકાશ ઇત્યાદિની જેમ
વિભાગકલ્પના સિદ્ધ થઈ. ૨૭.
આ રીતે પાંચ સૂત્રોથી પંચાસ્તિકાયનું પ્રતિપાદન કરનારો ત્રીજો અંતરાધિકાર પૂરો
થયો.
એ રીતે શ્રી નેમિચન્દ્રસિદ્ધાન્તિદેવ રચિત દ્રવ્યસંગ્રહ ગ્રંથમાં નમસ્કારાદિ સત્તાવીસ
ગાથાઓ દ્વારા ત્રણ અંતરાધિકારો વડે છ દ્રવ્ય અને પંચાસ્તિકાયનું પ્રતિપાદન કરનાર પ્રથમ
અધિકાર સમાપ્ત થયો.
૧. ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૧૯૫.
૨. પંચાસ્તિકાય ગાથા ૧૬૪
૮૪ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ