Bruhad Dravya Sangrah (Gujarati). Chha Dravyonu Chhoolikaroope Vishesha Vyakhyan.

< Previous Page   Next Page >


Page 85 of 272
PDF/HTML Page 97 of 284

 

background image
चूलिका
अतः परं पूर्वोक्तषड्द्रव्याणां चूलिकारूपेण विस्तरव्याख्यानं क्रियते तद्यथा
परिणामि जीवमुत्तं, सपदेसं एयखेत्तकिरिया य
णिच्चं कारण कत्ता, सव्वगदमिदरंहि यपवेसे ।।।।
दुण्णि य एयं एयं, पंच त्तिय एय दुण्णि चउरो य
पंच य एयं एयं, एदेसं एय उत्तरं णेयं ।।।। (युग्मम्)
व्याख्या‘‘परिणामि’’ इत्यादिव्याख्यानं क्रियते ‘‘परिणामि’’ परिणामिनौ
जीवपुद्गलौ स्वभावविभावपरिणामाभ्यां कृत्वा, शेष चत्वारि द्रव्याणि
विभावव्यञ्जनपर्यायाभावान्मुख्यवृत्त्या पुनरपरिणामीनिति
‘‘जीव’’ शुद्धनिश्चयनयेन
विशुद्धज्ञानदर्शनस्वभावं शुद्धचैतन्यं प्राणशब्देनोच्यते तेन जीवतीति जीवः व्यवहारनयेन पुनः
હવે, પછી પૂર્વોક્ત છ દ્રવ્યોનું ચૂલિકારૂપે (ઉપસંહાર તરીકે) વિશેષ વ્યાખ્યાન કરે
છેઃ
ચૂલિકા
ગાથાર્થઃછ દ્રવ્યોમાં જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્ય પરિણામી છે, ચેતનદ્રવ્ય
એક જીવ છે, મૂર્તિક એક પુદ્ગલ છે, પ્રદેશસહિત જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ તથા
આકાશ
એ પાંચ દ્રવ્યો છે, એક એક સંખ્યાવાળા ધર્મ, અધર્મ અને આકાશએ ત્રણ
દ્રવ્યો છે, ક્ષેત્રવાન એક આકાશ દ્રવ્ય છે, ક્રિયાસહિત જીવ અને પુદ્ગલએ બે દ્રવ્ય છે,
નિત્યદ્રવ્ય ધર્મ, અધર્મ, આકાશ અને કાળએ ચાર છે, કારણદ્રવ્ય પુદ્ગલ, ધર્મ, અધર્મ,
આકાશ અને કાળએ પાંચ છે, કર્તા એક જીવદ્રવ્ય છે, સર્વવ્યાપક દ્રવ્ય એક આકાશ
છે, (એક ક્ષેત્રાવગાહ હોવા છતાં પણ) આ છયે દ્રવ્યોને પરસ્પર પ્રવેશ નથી. એ રીતે છયે
મૂળ દ્રવ્યોના ઉત્તરગુણ જાણવા.
ટીકાઃ‘‘परिणामि’’ સ્વભાવ તથા વિભાવ પરિણામોથી જીવ અને પુદ્ગલ
એ બે દ્રવ્યો પરિણામી છે. બાકીનાં ચાર દ્રવ્યો વિભાવવ્યંજનપર્યાયના અભાવની મુખ્યતાથી
અપરિણામી છે.
‘‘जीव’’ શુદ્ધનિશ્ચયનયથી વિશુદ્ધ જ્ઞાનદર્શનસ્વભાવી શુદ્ધચૈતન્યને ‘પ્રાણ’ શબ્દથી
કહેવામાં આવે છે; તે શુદ્ધચૈતન્યરૂપ પ્રાણથી જે જીવે છે તે જીવ છે. વ્યવહારનયથી
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૮૫