Chha Dhala (Gujarati).

< Previous Page   Next Page >


Page 62 of 205
PDF/HTML Page 84 of 227

 

background image
જીવના ભેદ-ઉપભેદ
ભાવાર્થજીવ (આત્મા) ત્રણ પ્રકારના છે
(૧) બહિરાત્મા, (૨) અન્તરાત્મા, (૩) પરમાત્મા. તેમાં શરીરને
અને આત્માને એક માને તેને બહિરાત્મા કહે છે, તેને અવિવેકી
અથવા મિથ્યાદ્રષ્ટિ પણ કહે છે. જે શરીર અને આત્માને પોતાના
ભેદવિજ્ઞાનથી જુદા જુદા માને છે તે અંતરાત્મા અર્થાત
્ સમ્યગ્દ્રષ્ટિ
છે. અંતરાત્માના ત્રણ ભેદ છેઃ ઉત્તમ-મધ્યમ-જઘન્ય. તેમાં
અંતરંગ અને બહિરંગ એ બન્ને પ્રકારના પરિગ્રહથી રહિત
સાતમાથી બારમા ગુણસ્થાનમાં વર્તતા શુદ્ધઉપયોગી અને
આત્મધ્યાની દિગમ્બર મુનિ ઉત્તમ અંતરાત્મા છે.
૬૨ ][ છ ઢાળા