Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


Page 95 of 113
PDF/HTML Page 109 of 127

 

background image
અનંત સંસાર કેમ મટે?[ ૯૫
છે દ્રવ્યો છે તેમાં ચેતન રાજા છે. (ચેતન સિવાયના અન્ય) તે પાંચ
દ્રવ્યોમાં તો તું ન અટક. તારો મહિમા બહુ જ ઊંચો છે. જે
નોકર્મ(રૂપ) વસતી વસે છે તે તારાથી જ (
ચેતન રાજાથી જ) વસતી
જેવી લાગે છે. અને આઠ કર્મને દેખ, તે પણ પુદ્ગલ દ્રવ્યની જાતિ
છે, પોતાનું અંગ નથી. (કર્મ વગેરે) પૌદ્ગલિક જાતિની જે જે સંજ્ઞા
છે, તે જ તે જ જાતિની સંજ્ઞા ચેતનપરિણામમાં ધરી છે; તે સ્વભાવ
નથી, તે પર કલિત [
પર સાથે યુક્ત] ભાવ છે. માટે નિજ ચેતનાએ
[પરભાવનો જે] જૂઠો સ્વાંગ ધર્યો છે તે પરભાવ (રૂપી) સ્વાંગને દૂર
કર. તેને દૂર કરતાં જ (તું) પ્રત્યક્ષ સાક્ષાત્ સ્વભાવ-સન્મુખ સ્થિર
થઈશ
વિશ્રામ પામીશ અને વચનાતીત મહિમાને પામીશ. [એ પ્રમાણે
પોતાના સ્વભાવને પ્રાપ્ત કર્યા પછી], પરનીચ પરિણામને ધારણ
કરવા છતાં પણ ચૈતન્યરાજાને ઠીક કર્યો છે [ઓળખી લીધો છે]
તેથી તે નીચ સંબંધમાં તું ઠગાશે નહિ. [એ રીતે] વધતાં વધતાં
પરમપદને પામીશ, અને ત્રણે લોકમાં તારી દુહાઈ વર્તાવીશ
[
ફેલાશે.]
એ પ્રમાણે ગુરુવચન સાંભળીને જ્ઞાતા પોતાની ચેતનાશક્તિને
ગ્રહે છે. [અને પરમાં] જ્યાં જ્યાં દેખે છે ત્યાં ત્યાં જડનો નમૂનો છે,
અનુપમ જ્ઞાનજ્યોતિ તે પોતાનું પદ છે. સ્વરૂપ પ્રકાશવડે અનાદિ
વિભાવનો વિનાશ થાય છે. પોતાના સ્વરૂપમાંથી દર્શન
જ્ઞાનનો પ્રકાશ
ઊઠે છે, તે (દર્શનજ્ઞાન) પર પદને દેખીજાણીને અશુદ્ધ થાય છે.
અહીં એટલું વિશેષ છે કે જ્યાં રાગાદિ પરિણામરૂપે દેખવુંજાણવું છે
ત્યાં વિશેષ અશુદ્ધતા છે (અને) સામાન્ય પદની દશાથી દેખેજાણે છે
ત્યાં સામાન્ય અશુદ્ધતા છે.
ચોથા ગુણસ્થાનવાળાને એકદેશ ઉપયોગની સંભાળ થઈ છે,
ત્યાં, (તેને) એકદેશ શુદ્ધતા જાણવી.
હવે પાંચમા ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાન સંબંધી રાગાદિક ગયા