૯૮ ]
ચિદ્દવિલાસ
અવસ્થામાં સ્નેહયુક્ત લગાડીએ તો તે સંસારનું કારણ છે. વિશેષપણે
વિચારતા ધર્મગ્રાહકનયથી ચિંતાનિરોધ અને એકાગ્રતા એ બન્ને
ભૂમિકાઓ ધર્મધ્યાન અને શુક્લધ્યાનનું કારણ છે, અને તે સમાધિને
સાધે છે. તેની સાક્ષીરૂપ શ્લોક (આ પ્રમાણે છે)ઃ —
साम्यं स्वास्थ्यं समाधिश्च योगश्चेतोनिरोधनम् ।
शुद्धोपयोग इत्येते भवन्त्येकार्थवाचकाः ।।६४।।
(પદ્મનંદિપંચવિંશતિકા – એકત્વસપ્તતિ)
અર્થ : — સામ્ય, સ્વાસ્થ્ય, સમાધિ, યોગ ચિત્તનિરોધ અને
શુદ્ધોપયોગ – એ બધા એકાર્થવાચક છે.