છે, નિત્ય અતિશયપણે સુખની વ્યક્તતા તે મોક્ષ છે.
(તથા) અગીયાર ઇન્દ્રિય; તે વિષે સ્પર્શતન્માત્રાથી વાયુ,
શબ્દતન્માત્રાથી આકાશ, રૂપતન્માત્રાથી તેજ, ગંધતન્માત્રાથી, પૃથ્વી,
રસતન્માત્રાથી પાણી; સ્પર્શ, રસ, ઘ્રાણ, ચક્ષુ (અને) શ્રોત્ર એ પાંચ
બુદ્ધિ
ભોક્તા છે, મૂળ પ્રકૃતિ અવિકૃત છે, મહત્ આદિ સાત, પ્રકૃતિની
વિકૃતિ છે, (બાકીના) સોળ તત્ત્વો વિકાર પણ નથી ને પ્રકૃતિ વિકૃતિ
પણ નથી. પરંતુ પંગુ સમાન (એવા) પ્રકૃતિ અને પુરુષના યોગે થયેલ
છે, પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ એ ત્રણ પ્રમાણ છે, નિત્ય એકાંતવાદ
છે. પચીશ તત્ત્વોનું જ્ઞાન તે મોક્ષમાર્ગ છે. પ્રકૃતિ (અને) પુરુષનો
વિવેક દેખવાથી, પ્રકૃતિ વિષે રહેલ પુરુષનું (ભિન્ન થવું) તે મોક્ષ છે.
પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે, જેમ માદક સામગ્રીના સમવાયથી
મદશક્તિ ઉત્પન્ન થાય છે તેમ ચાર ભૂતના સમવાયથી ચૈતન્યશક્તિ
ઊપજે છે; અદ્રશ્ય સુખનો ત્યાગ અને દ્રશ્ય સુખનો ભોગ તે જ
પુરુષાર્થ છે. [એમ તે માને છે.]