Chidvilas (Gujarati). 1. Laya Samadhi.

< Previous Page   Next Page >


Page 102 of 113
PDF/HTML Page 116 of 127

 

background image
૧૦૨ ]
ચિદ્દવિલાસ
આ પ્રમાણે બધા ભેદનો નિર્ણય કરે પરંતુ (તે) સમાધિ નથી.
સમાધિના તેર ભેદ છે તે કહીએ છીએઃ
૧. લય, ૨. પ્રસંજ્ઞાત, ૩. વિતર્કઅનુગત, ૪. વિચાર
અનુગત, ૫. આનંદઅનુગત, ૬. અસ્મિતાઅનુગત, ૭.
નિર્વિતર્કઅનુગત, ૮. નિર્વિચારઅનુગત, ૯. નિરાનંદઅનુગત, ૧૦
નિરસ્મિતાઅનુગત, ૧૧. વિવેકખ્યાતિ, ૧૨. ધર્મમેઘ અને ૧૩.
અસંપ્રજ્ઞાત
એ તેર જ સમાધિના ભેદ છે. તેમાં અસંપ્રજ્ઞાતના બે ભેદ
છેએક પ્રકૃતિલય અને બીજો પુરુષલય. [હવે એ તેર સમાધિનું
સ્વરૂપ કહે છે.]
૧. લયસમાધિા
પ્રથમ લયસમાધિ કહીએ છીએઃ
લય એટલે પરિણામોની લીનતા; નિજ વસ્તુ વિષે પરિણામ વર્તે
એટલે રાગ-દ્વેષ-મોહ મટાડીને દર્શન-જ્ઞાનરૂપ પોતાના સ્વરૂપને પ્રતીતિમાં
અનુભવે. (પહેલાં) જેમ દેહમાં પોતાપણાની બુદ્ધિ હતી તેમ હવે
આત્મામાં બુદ્ધિ ધરી; જ્યાંસુધી સ્વરૂપમાંથી તે બુદ્ધિ ન ખસે ત્યાં સુધી
પોતામાં લીનતા છે, તેને (લય) સમાધિ કહે છે. ‘લય’ના ત્રણ ભેદ છે
શબ્દ, અર્થ અને જ્ઞાન. લય [એવું પદ તે] શબ્દ થયો, ‘પોતામાં
પરિણામની લીનતા’ તે અર્થ થયો,’ અને શબ્દ તથા અર્થનું જાણપણું તે
જ્ઞાન થયું. ત્રણે ભેદ લયસમાધિના છે. શબ્દ આગમવડે, અર્થઆગમ,
અર્થઆગમવડે જ્ઞાનઆગમ
(એમ) શ્રી જિનાગમમાં કહ્યું છે.
કોઈ કહે કે ‘શબ્દ’(શબ્દલયસમાધિ એવો ભેદ) શા માટે
કહ્યો?
તેનું સમાધાાન :શુક્લધ્યાનના ભેદમાં શબ્દથી શબ્દાંતર બતાવ્યું
છે તે રીતે (અહીં) જાણવું. જ્યાં, દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચારદ્વારા વસ્તુમાં
જુઓ અનુભવપ્રકાશમાં સમાધિવર્ણન