દ્રવીને ગુણ-પર્યાયમાં વ્યાપીને તેને પ્રગટ કરે છે તેથી ગુણ-પર્યાયનું પ્રગટ
કરવાપણું દ્રવ્યત્વગુણથી છે. માટે દ્રવ્યત્વની વિવક્ષાથી
સ્વતઃસિદ્ધ છે’ એ પણ પ્રમાણ છે; કેમકે એ ચારેય દ્રવ્યનો સ્વતઃસ્વભાવ
છે, પોતાના સ્વભાવરૂપે દ્રવ્ય સ્વતઃ પરિણમે છે, તેથી સ્વતઃસિદ્ધ કહેવાય
છે. [આ રીતે ‘સત્તા’, ‘ગુણોનો સમુદાય’, ‘ગુણપર્યાયવાળું’, ને ‘દ્રવ્યત્વનો
સંબંધ’ એ ચારે લક્ષણો પ્રમાણ છે. તેમાંથી કોઈ એકને જ્યારે મુખ્ય
કરીને કહેવામાં આવે ત્યારે બાકીના ત્રણે લક્ષણો પણ તેમાં ગર્ભિતરૂપે
આવી જ જાય છે
છે તેના અનેક ભેદ છે.
શુદ્ધ દ્રવ્યાર્થિકનય દ્રવ્યને શુદ્ધ બતાવે છે; અન્વયદ્રવ્યાર્થિકનય દ્રવ્યને
ગુણાદિ સ્વભાવરૂપ બતાવે છે; સત્તા-સાપેક્ષ દ્રવ્યાર્થિકનય (દ્રવ્યને)
સત્તારૂપ બતાવે છે; અનંત જ્ઞાનસાપેક્ષ દ્રવ્યાર્થિકનય (દ્રવ્યને) જ્ઞાનસ્વરૂપ
બતાવે છે; દર્શનસાપેક્ષ દ્રવ્યાર્થિકનય (દ્રવ્યને) દર્શનરૂપ બતાવે છે;
અનંતગુણ સાપેક્ષ દ્રવ્યાર્થિકનય (દ્રવ્યને) અનંતગુણરૂપ બતાવે છે
વિશેષણો-લક્ષણો છે, અને તે બધાના વિશેષ્યરૂપ લક્ષ્યરૂપ દ્રવ્ય છે.]