સર્વ ગુણોનો નિશ્ચય યથાઅવસ્થિતભાવ (આનાથી) છે. નિશ્ચયનું નામ
સમ્યક્ત્વ છે કે જ્યાં વ્યવહાર, ભેદ, વિકલ્પ નથી, અશુદ્ધતા નથી, નિજ
અનુભવ સ્વરૂપ સમ્યક્ છે.
વ્યવહારથી [છે] એમ કહીએ. અસદ્ભૂત ઉપચરિતનયથી [દર્શન] પરને
દેખે છે. તે નિર્વિકલ્પરૂપ જ્ઞાન અને દર્શન સમ્યક્ થયાં તે સમ્યક્ (ત્વ)
ગુણથી સમ્યક્ થયાં એ રીતે અનંત [ગુણો] સમ્યક્ થયા તે સમ્યક્
ગુણની પ્રધાનતાથી થયા.
[તે ગુણો] અશુદ્ધ રહ્યા. [સ્વ પર્યાયના પુરુષાર્થરૂપ] કાળલબ્ધિ *પામીને
તેથી પ્રથમ સમ્યક્ત્વ ગુણ થયો, પછી બીજા ગુણો થયા; સિદ્ધ
ભગવાનના ગુણોમાં પણ પ્રથમ સમ્યક્ત્વ જ કહ્યું; તેથી સમ્યક્ત્વ પ્રધાન
છે. ઉપયોગ તો દર્શન અને જ્ઞાન છે, જ્યાં ‘સમ્યગ્દર્શન’ કહ્યું હોય ત્યાં
‘સમ્યક્ત્વ’ સમજવું અને જ્યાં ‘દર્શન’ કહ્યું હોય ત્યાં ‘દેખવારૂપ દર્શન’
સમજવું. વસ્તુના નિશ્ચયરૂપ, અનુભવરૂપ સમ્યક્ત્વ છે તે પ્રધાન છે.