Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


Page 11 of 113
PDF/HTML Page 25 of 127

 

background image
સમ્યક્ત્વની પ્રધાનતા[ ૧૧
સર્વ ગુણો સમ્યક્ આનાથી છે, સર્વ ગુણોનું અસ્તિત્વપણું આનાથી છે,
સર્વ ગુણોનો નિશ્ચય યથાઅવસ્થિતભાવ (આનાથી) છે. નિશ્ચયનું નામ
સમ્યક્ત્વ છે કે જ્યાં વ્યવહાર, ભેદ, વિકલ્પ નથી, અશુદ્ધતા નથી, નિજ
અનુભવ સ્વરૂપ સમ્યક્ છે.
જ્ઞાન જાણવામાત્ર પરિણમ્યું (તે) નિર્વિકલ્પ સમ્યગ્ જ્ઞાન છે. જ્ઞાન
જ્ઞેયોને જાણે છે તે અસદ્ભૂતઉપચરિતનયથી છે.
દર્શન દેખવારૂપ પરિણમ્યું. (તેને). નિર્વિકલ્પ સમ્યક્ દર્શન કહીએ
(દર્શન) સ્વજ્ઞેયને જુદાં દેખે છે ને પરજ્ઞેયને જુદાં દેખે છે, તે ભેદ
વ્યવહારથી [છે] એમ કહીએ. અસદ્ભૂત ઉપચરિતનયથી [દર્શન] પરને
દેખે છે. તે નિર્વિકલ્પરૂપ જ્ઞાન અને દર્શન સમ્યક્ થયાં તે સમ્યક્ (ત્વ)
ગુણથી સમ્યક્ થયાં એ રીતે અનંત [ગુણો] સમ્યક્ થયા તે સમ્યક્
ગુણની પ્રધાનતાથી થયા.
શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી આ જીવ અનાદિથી કેવલજ્ઞાનાદિ અનંત
ગુણોને ધારણ કરે છે, પરંતુ જ્યાં સુધી સમ્યક્ ન પ્રગટ્યું ત્યાં સુધી
[તે ગુણો] અશુદ્ધ રહ્યા. [સ્વ પર્યાયના પુરુષાર્થરૂપ] કાળલબ્ધિ *પામીને
જ્યારે સમ્યક્ત્વ થયું ત્યારે સમ્યક્ની શુદ્ધતાથી તે ગુણો વિમળ થયા;
તેથી પ્રથમ સમ્યક્ત્વ ગુણ થયો, પછી બીજા ગુણો થયા; સિદ્ધ
ભગવાનના ગુણોમાં પણ પ્રથમ સમ્યક્ત્વ જ કહ્યું; તેથી સમ્યક્ત્વ પ્રધાન
છે. ઉપયોગ તો દર્શન અને જ્ઞાન છે, જ્યાં ‘સમ્યગ્દર્શન’ કહ્યું હોય ત્યાં
‘સમ્યક્ત્વ’ સમજવું અને જ્યાં ‘દર્શન’ કહ્યું હોય ત્યાં ‘દેખવારૂપ દર્શન’
સમજવું. વસ્તુના નિશ્ચયરૂપ, અનુભવરૂપ સમ્યક્ત્વ છે તે પ્રધાન છે.
*જુઓ, મોક્ષમાર્ગ પ્રકાશકમોક્ષ સાધનમાં પુરુષાર્થની મુખ્યતા, પૃ. ૩૧૧