Chidvilas (Gujarati). Gyan gunanu Swaroop.

< Previous Page   Next Page >


Page 12 of 113
PDF/HTML Page 26 of 127

 

background image
૧૨ ]
ચિદ્દવિલાસ
જ્ઞાનગુણનું સ્વરુપ
હવે જ્ઞાનગુણનું સ્વરૂપ કહીએ છીએ. જ્ઞાન જાણપણું એ રીતે
નિર્વિકલ્પ છે, તે સ્વજ્ઞેયને જાણે છે; તે પરજ્ઞેયોને જાણવામાં, જ્ઞાન
નિશ્ચયથી જાણે તો જ્ઞાન જડ થાય
તાદાત્મ્યવૃત્તિથી એક થઈ જાય; તેથી
નિશ્ચયથી તો ન જાણે, ઉપચારથી જાણે તો સર્વજ્ઞતા કઈ રીતે [બને]?
જો ઉપચારમાત્ર તો જૂઠો છે તો સર્વજ્ઞ[પણું] જૂઠું થાય, તે ન બને.
તેનું સમાધાાન :જેમ અરીસામાં ઘડોવસ્ત્ર વગેરે દેખાય છે,
ત્યાં જે ‘દેખવું’ તે તો ઉપચાર દર્શન નથી, [ તેમ જ્ઞાન] જ્ઞેયોને પ્રત્યક્ષ
દેખે છે તે તો જૂઠું નથી; પરંતુ આટલું વિશેષ છે કે ઉપયોગ જ્ઞાનમાં
સ્વ
પરપ્રકાશક શક્તિ છે, તે પોતાના સ્વરૂપપ્રકાશનમાં નિશ્ચળ
વ્યાપ્યવ્યાપક વડે લીન થયેલો અખંડ પ્રકાશ છે; પરનું પ્રકાશન તો છે,
પરંતુ વ્યાપકરૂપ એકતા નથી [અર્થાત્ પરને જાણતાં જ્ઞાન પર સાથે
એકમેક થતું નથી], તેથી ઉપચાર સંજ્ઞા થઈ. વસ્તુશક્તિ ઉપચાર નથી
એ વાત વિશેષ લખીએ છીએઃ
કોઈ એક મિથ્યાવાદી એમ માને છે કે જ્ઞેયોનું જાણપણું છે તે
જ અશુદ્ધતા છે, જ્યારે તે મટશે ત્યારે અશુદ્ધતા મટશે પરંતુ એમ તો
નથી, કેમકે જ્ઞાન વિષે એવી સ્વપરપ્રકાશકતા પોતાના સહજ ભાવથી
છે, તે અશુદ્ધભાવ નથી. અરૂપી આત્મપ્રદેશોનો પ્રકાશ લોકઅલોકના
આકારરૂપ થઈને મેચક ઉપયોગ [અનેકાકાર ઉપયોગ] થયો છે. આ
"
૧. જુઓ, સમયસાર ગા. ૩૫૬ થી ૩૬૫ ઉપર જયસેનાચાર્યની ટીકામાં
પૃ. ૪૬૬૪૬૭.
૨. જુઓ, સમયસાર કલશ૨૫૧;