Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


Page 13 of 113
PDF/HTML Page 27 of 127

 

background image
જ્ઞાનગુણનું સ્વરૂપ[ ૧૩
સંબંધમાં કહ્યું છે કે नीरुपात्मप्रदेशप्रकाशमानलोकालोकाकारमेचकोपयोग-
लक्षणा स्वच्छत्वशक्तिः’ [અર્થાત્ અમૂર્તિક આત્મપ્રદેશોમાં પ્રકાશમાન
લોકાલોકના આકારોથી મેચક [અર્થાત્ અનેક આકારરૂપ] એવો ઉપયોગ
જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ શક્તિ છે
].
તે જ સ્વચ્છ[ત્વ] શક્તિ છે, જેમ અરીસામાં જો ઘટપટ દેખાય
તો નિર્મળ છે; અને જો ન દેખાય તો મલિન છે, તેમ જ જ્ઞાનમાં જો
સકળ જ્ઞેય ભાસે તો નિર્મળ છે, ન ભાસે તો નિર્મળ નથી. જ્ઞાન પોતાના
દ્રવ્ય
પ્રદેશવડે તો જ્ઞેયમાં જતું નથીજ્ઞેયમાં તન્મય થતું નથી. જો એ
પ્રમાણે તન્મય થઈ જાય તો જ્ઞેયાકારોનો નાશ થતાં જ્ઞાનનો વિનાશ થઈ
જાય.
માટે દ્રવ્યથી [જ્ઞાનને] જ્ઞેય વ્યાપકતા નથી. જ્ઞાનની કોઈ [એવી]
સ્વ-પરપ્રકાશક શક્તિ છે, તે શક્તિની પર્યાયોવડે જ્ઞેયોને જાણે છે.
વસ્તુનું સ્વરૂપ જ્ઞાનમાત્ર છે; તે સંબંધમાં ચાર પ્રશ્નો ઉપજે છે,
[૧] એક તો પ્રશ્ન એ કે જ્ઞાન જ્ઞેયના અવલંબને છે કે પોતાના
અવલંબને છે?
[૨] બીજો પ્રશ્ન એમ કે જ્ઞાન એક છે કે અનેક છે?
[૩] ત્રીજો પ્રશ્ન એવો છે કે જ્ઞાન અસ્તિરૂપ છે કે નાસ્તિરૂપ
છે?
[૪] ચોથો પ્રશ્ન એવો છે કે જ્ઞાન નિત્ય છે કે અનિત્ય છે?
તેનું સમાધાન આ પ્રમાણે છેઃ
[૧] જે જેટલી વસ્તુ છે તેટલી દ્રવ્યપર્યાયરૂપ [છે], જ્ઞાન પણ
૧. ગુજરાતી સમયસાર પૃ. ૫૦૪;
૨. સમયસાર કલશ. ૨૫૫
૩. સમયસાર કલશ ટીકા પૃ. ૨૮૨ તથા સમયસાર ગુજરાતી પૃ. ૪૮૮ થી
૫૦૦.