Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


Page 15 of 113
PDF/HTML Page 29 of 127

 

background image
જ્ઞાનગુણનું સ્વરૂપ[ ૧૫
લક્ષણ, ૩ક્ષેત્ર, ૪કાળ, ૫સંખ્યા, ૬સ્થાનસ્વરૂપ અને ૭ફળ
એ સાત ભેદ કહીએ છીએઃ
૧. નામ‘જ્ઞાન’ એવું નામ શા માટે કહેવું? [ તે કહે છે.]
‘ज्ञानोति ज्ञानं [અર્થાત્ જે જાણે છે તે જ્ઞાન છે]’ એના વડે જાણવામાં
આવે છે તેથી જ્ઞાન કહીએ; જે [પોતે] જાણે છે [અથવા] જેના વડે
જીવ જાણે છે, તેથી [તેનું] ‘જ્ઞાન’ નામ છે.
૨. લક્ષણજ્ઞાનનું લક્ષણ સામાન્યપણે નિર્વિકલ્પ છે, તે જ સ્વ
પર પ્રકાશક છે. વિશેષ એમ કહીએ છીએ [કે] જો [જ્ઞાન], કેવળ
સ્વસંવેદજ [અર્થાત્ માત્ર પોતાને જ જાણનાર] છે, તે સ્વ
પર પ્રકાશક
નથી તો મહા દૂષણ થાય; સ્વપદની સ્થાપના પરના સ્થાપનથી છે. પરની
સ્થાપનાની અપેક્ષા દૂર કરવામાં આવે તો સ્વનું સ્થાપન પણ સિદ્ધ થતું
નથી. માટે સ્વ
પર પ્રકાશક શક્તિ માનવાથી સર્વ સિદ્ધિ છે, આમાં કાંઈ
સંદેહ નથી.
[પ્રશ્ન :] જ્ઞાન અનંત ગુણોને જાણે છે, એક દર્શનને પણ તે
જાણે છે, દર્શનમાત્રને જાણતું હોવાથી [તે] એકદેશ જ્ઞાન છે કે સર્વદેશ
જ્ઞાન છે? [૧] [માત્ર દર્શનને જાણનારા જ્ઞાનને] જો સર્વદેશ કહો તો
તે સર્વદેશ સંભવતું નથી [કારણ કે] તે માત્ર દર્શનને જ જાણનારું ન
રહ્યું પણ બધાને જાણનારું ઠર્યું. [૨] [અને જો તે જ્ઞાનને] એકદેશ
અંશકલ્પના છે, [એમ કહો તો] તે કેવળજ્ઞાનમાં સંભવતી નથી.
તેનું સમાધાાન :દર્શનમાં સર્વદર્શિત્વ શક્તિ છે, તેથી તેને
જાણતાં સર્વ જાણ્યું,એક તો આ ન્યાય છે. [વળી] યુગપત્ સર્વ ગુણોને
જાણતાં તેમાં દર્શનને પણ જાણ્યું, યુગપત્ જાણવામાં વિકલ્પ નથી. એક
જ નિરાવરણ જાણવાથી સર્વ ગુણો નિરાવરણ જાણ્યા. જેમ એક
આત્માના અસંખ્ય પ્રદેશ, પ્રદેશ
પ્રદેશમાં અનંત ગુણ [અને] ગુણ
૧. ગુજ૦ સમયસાર પૃ. ૫૦૪;