Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


Page 16 of 113
PDF/HTML Page 30 of 127

 

background image
૧૬ ]
ચિદ્દવિલાસ
ગુણમાં અસંખ્ય પ્રદેશ. તે એક પ્રદેશ નિરાવરણ થતાં સર્વ પ્રદેશો
નિરાવરણ થયા; એકને જાણે તે સર્વને જાણે, સર્વને જાણે તે એકને
જાણે,
એમ આગમમાં કહ્યું છે; [તેથી] નિરાવરણ એક દર્શનને
જાણવામાં સર્વદેશ જ્ઞાન સિદ્ધ થાય છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કેદર્શન નિરાકાર છે, તેને જાણવાથી
જ્ઞાન પણ નિરાકાર થયું?
તેનું સમાધાાન :દર્શન ગુણ દેખવામાત્ર લક્ષણને ધારણ કરે છે;
અને સર્વદર્શિત્વ શક્તિને ધારણ કરે છે એ દર્શનનું વિશેષ છે; તેને
(જ્ઞાન) જાણે છે. (તેથી દર્શનને જાણનારું જ્ઞાન નિરાકાર નથી)
એક
તો આ સમાધાન છે. બીજું વિશેષ એ છે કે જ્ઞાનની સર્વજ્ઞ શક્તિમાં
સર્વને જાણતાં દર્શન પણ આવ્યું; બધા ગુણોનું જાણપણું મુખ્ય થયું તેમાં
દર્શન પણ આવી ગયું, પણ તે જ્ઞાન તે રૂપ (થયું)
એમ ન કહીએ
(અર્થાત્ અનંત ગુણો સાથે દર્શનને જાણવા છતાં જ્ઞાન તે દર્શનરૂપે થઈ
જતું નથી) જ્ઞાનની શક્તિ યુગપત્
બધાને એક સાથેજાણવાની છે તેથી
(જ્ઞાનને) જુદું વિશેષણ (ગુણ) લેવું. જેમ પાંચ રસ જેમાં ગર્ભિત છે
એવો રસ કોઈએ ચાખ્યો, ત્યાં એમ કહેવાનું બનતું નથી કે આ પુરુષે
મધુર રસ ચાખ્યો. તેમ દર્શન અનંત ગુણોમાં આવી ગયું, એક (જુદા
દર્શન-ગુણ)ની કલ્પના કરવાનું બનતું નથી
એમ જાણવું.
જ્ઞાન પોતાના સત્પણાથી સત્તારૂપ છે, જ્ઞાન પોતાના સૂક્ષ્મત્વથી
સૂક્ષ્મરૂપ છે, જ્ઞાન પોતાના વીર્યથી અનંત બળરૂપ છે, જ્ઞાન પોતાના
અગુરુલઘુત્વથી અગુરુલઘુરૂપ છે
એ પ્રમાણે અનંત ગુણોનાં લક્ષણ
જ્ઞાનમાં આવે છે. જ્ઞાન ત્રિકાળવર્તી સર્વને એક સમયમાં યુગપત્ જાણે છે.
ત્યાં, આ પ્રશ્ન ઊઠે છે કેઆત્માને ભવિષ્યકાળના સમય-
સમયમાં જે પરિણામદ્વારા જે સુખ થશે તે તો જ્ઞાનમાં આવી પ્રતિભાસ્યું,
૧. પ્રવચનસાર ગા. ૪૮૪૯.