કઈ રીતે રહ્યું?
થયા તેથી સુખ છે; પરિણામ એક સમય જ રહે છે તેથી સમયમાત્ર
પરિણામનું સુખ છે, જ્ઞાનનું સુખ યુગપત્ છે. પરિણામનું (સુખ) સમય
માત્રનું છે (તેથી) સમય સમયના પરિણામ જ્યારે આવે ત્યારે વ્યક્ત
સુખ થાય. ભવિષ્યકાળના પરિણામ જ્ઞાનમાં આવ્યા, પણ થયા નથી,
તેથી પરિણામનું સુખ ક્રમવર્તી છે, તે તો સમયે સમયે નવું નવું થાય
છે. જ્ઞાનનો ઉપયોગ યુગપત્ છે, તે ઉપયોગ પોત પોતાના લક્ષણને
ધારણ કરે છે તેથી પરિણામનું સુખ નવું કહીએ (અને) જ્ઞાનનું સુખ
યુગપત્ છે. જ્ઞાનની અન્વય અને યુગપત્રૂપ શક્તિ છે, તેના પર્યાયની
વ્યતિરેકરૂપ શક્તિ (છે, તે) વ્યાપકરૂપ થઈને અન્વયરૂપ થાય છે*.
પરિણમેલું જ્ઞન કહે છે, અથવા જ્ઞાનરૂપે જ્ઞાન પરિણમે છે ત્યારે વ્યતિરેક
શક્તિરૂપ જ્ઞાન થાય છે. અન્વય-વ્યતિરેક પરસ્પર એક-બીજારૂપ થાય
છે (અર્થાત્ તે બંને અવિનાભાવીરૂપ છે,) તેથી (જ્ઞાનનું) પરમ લક્ષણ
જે વેદકતા, તેમાં (તે બંને) છે. વેદકતા (જાણવાપણું) પરિણામથી (છે);
પરિણામ, દ્રવ્યત્વગુણના પ્રભાવથી દ્રવ્યગુણના આકારે થાય છે (અને)
દ્રવ્ય-ગુણો પર્યાયના આકારે થાય છે. આ પ્રમાણે જ્ઞાનના ઘણા ભેદો
સધાય છે. (અહીં) જ્ઞાનનું લક્ષણ જાણપણું છે તે નિશ્ચિત થયું. તેનો
બીજો વિસ્તાર છે.
છે.)