જ્ઞાનગુણનું સ્વરૂપ[ ૧૯
સુખ (એવું) નામ જ્ઞાન અનંત થવાથી તેરમા (ગુણસ્થાનક)માં પામ્યું;
તેથી જ્ઞાનની સાથે આનંદ છે તે જ્ઞાનનું ફળ છે. – આ સંબંધમાં કહ્યું છે
કે ‘नास्ति ज्ञानसमं सुखम् । (અર્થાત્ જ્ઞાન સમાન સુખ નથી).’
(અહીં જેમ જ્ઞાનમાં નામ, લક્ષણાદિ સાત ભેદ ઉતાર્યા તેમ) એ
સાતે ભેદો દર્શનમાં લગાડવા, વીર્યમાં (પણ) લાગે. અનંતગુણોમાં (પણ)
તે સાતે ભેદ જાણો.
આ રીતે જ્ઞાનનું (સ્વરૂપ) અને તેના ભેદ સંક્ષેપમાત્રથી કહ્યા.