૨૬ ]
ચિદ્દવિલાસ
ગુણની સિદ્ધિ પર્યાયથી જ છે
જ્ઞાનનું લક્ષણ જાણપણું છે; જ્ઞાન જાણપણારૂપ પરિણમે છે.
અહીં પ્રશ્ન થાય છે કે – જ્ઞાનની સિદ્ધિ જાણપણાથી છે કે પરિણમનથી
છે? તેનું સમાધાન – જાણપણા વિના તો જ્ઞાનનો અભાવ થાય, (અને)
પરિણમન વિના જાણપણું હોય નહિ. જાણપણું ગુણ છે, પરિણમવું તે
પર્યાય છે. પર્યાય વિના ગુણ હોય નહિ અને ગુણ વિના પર્યાય હોય
નહિ, પર્યાયવડે ગુણ છે, અવિનાભાવી છે.
ત્યાં ફરી પ્રશ્ન ઉપજે છે કે – પર્યાય ક્રમવર્તી છે અને ગુણ યુગપત્
છે, તો કર્મવર્તીથી યુગપત્ ગુણની સિદ્ધિ કઈ રીતે થાય છે? તેનું
સમાધાન – ગુણની સિદ્ધિ પર્યાયથી જ છે – તે કહીએ છીએઃ —
અગુરુલઘુગુણની સિદ્ધિ પર્યાય વિના થતી નથી; એ જ પ્રમાણે સર્વ
(ગુણોમાં) જાણો. અગુરુલઘુગુણનો વિકાર (પરિણમન) તે ષટ્ગુણી
વૃદ્ધિ – હાનિ છે. જો ષટ્ગુણી વૃદ્ધિ – હાનિ ન હોય તો અગુરુલઘુ ન
હોય! જો સૂક્ષ્મ ગુણનો પર્યાય ન હોય તો સૂક્ષ્મ (ગુણ) ન હોય.
જ્ઞાનસૂક્ષ્મ, દર્શનસૂક્ષ્મ તે સૂક્ષ્મ(ગુણ)ના પર્યાય છે. તેથી પર્યાય સાધક
છે, ગુણ સિદ્ધિ (સાધ્ય) છે.
ષટ્ગુણી વૃદ્ધિ – હાનિનું સ્વરૂપ શું છે? એવો પ્રશ્ન થયો. તેનું
સમાધાાન : — સિદ્ધ ભગવાન છે તેમને વિષે ષટ્ગુણી વૃદ્ધિ – હાનિનું
સ્વરૂપ✽ કહીએ છીએઃ –
✽અહીં માત્ર દ્રષ્ટાંતરૂપ કથન છે, અગુરુલઘુગુણનું સૂક્ષ્મ પરિણમન તો
આગમગમ્ય છે, વચન અગોચર છે. જુઓ, આલાપપદ્ધતિ પૃ. ૮૯