Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


Page 28 of 113
PDF/HTML Page 42 of 127

 

background image
૨૮ ]
ચિદ્દવિલાસ
દ્રવ્યથી પર્યાયની સિદ્ધિ છે. જો જ્ઞાનગુણ ન હોય તો જાણપણારૂપ કઈ
રીતે પરિણમે? ગુણદ્વારા પરિણતિ છે. જેમ દ્વાર ન હોય તો દ્વારમાં
પ્રવેશ ક્યાંથી હોય? ગુણ ન હોય તો ગુણપરિણામ પણ ન હોય. (જો)
સૂક્ષ્મ ગુણ ન હોય તો સૂક્ષ્મ ગુણનો પર્યાય ક્યાંથી હોય? આ પ્રમાણે
સર્વ ગુણ વિષે જાણો. ગુણપરિણતિ ગુણમય હોય છે.