ગુણલક્ષણરૂપે પરિણમે છે. તેથી ક્રમઅક્રમ સ્વભાવ દ્રવ્યનો કહ્યો છે. તેનું
સમાધાન કરીએ છીએ.
બાબત સિદ્ધાંત પ્રવચનસારજી (ગા. ૯૯)માં કહ્યું છે ત્યાંથી જાણવું.
વિષ્કંભક્રમ ગુણોનો છે; તે ગુણો પહોળાઈરૂપ (
આ ક્રમ ગુણમાં છે તેથી (તેને) વિષ્કંભક્રમ કહીએ; અથવા ગુણક્રમથી
કહીએ (તો) દર્શન, જ્ઞાન ઇત્યાદિ સર્વે વિસ્તારને ધરે છે તેથી (તેને)
વિષ્કંભક્રમ કહીએ. અહીં પ્રવાહક્રમ દ્રવ્યના પરિણામ વડે છે તેથી
ગુણોમાં [તે] નથી, માટે ગુણ (તે) પરિણતિનો પ્રવાહ નથી, ગુણથી (તો)
વિસ્તારક્રમ જ કહ્યો છે.
ને આત્માની (પરિણતિ) જુદી છે. એમ માનવાથી (તે બંનેનું) સત્ત્વ જુદું
ઠરે છે, સત્ત્વ જુદું થતાં વસ્તુ અનેક (થઈને) જુદી જુદી અવસ્થા ધારણ
કરીને વર્તે. એમ થતાં તો વિપર્યય થાય છે, વસ્તુનો અભાવ થાય છે.
માનવાથી તો જ્ઞાન જાણપણારૂપ પરિણમે, દર્શન દેખવારૂપ પરિણમે એમ
કહેવું વૃથા થયું, અભેદમાં ભેદ ઊપજે નહિ, માટે સમાધાન કરો.