Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


Page 31 of 113
PDF/HTML Page 45 of 127

 

background image
પરિણમનશકિત દ્રવ્યમાં છે[ ૩૧
પુંજ છે તેથી ગુણથી પણ ઊઠી કહીએ; દ્રવ્ય અને ગુણનાં સત્ત્વ બે નથી,
એક છે. (પરિણામ) દ્રવ્યમય પરિણમતાં ગુણ આવ્યા તેથી ગુણમય
પરિણામ છે. આ પ્રકારે એક વસ્તુના પરિણામ નિર્વિકલ્પ છે. જ્ઞાનરૂપ
આત્મા પરિણમ્યો તો પરિણામ જાણપણામાં આવ્યા. તેથી જ્ઞાન
જાણપણારૂપ પરિણમે છે એવી વિવક્ષા છે તે જાણવી.
વસ્તુના પરિણામને સર્વસ્વ કહ્યું છે. તે કઈ રીતે? પરિણામવડે
અન્વય સ્વભાવ પમાય છે. જો પરિણામ ન હોય તો અન્વયી દ્રવ્ય
ન હોય, અનંત ગુણો પરિણમ્યા વગર દ્રવ્ય ન હોય. તેથી વસ્તુના
વેદનમાં સર્વસ્વ પરિણામ તે વેદકતા છે. ગુણ પરિણામથી ગુણના
આસ્વાદનો લાભ થાય છે; દ્રવ્ય પરિણામથી દ્રવ્યના આસ્વાદનો લાભ
થાય છે, કહેવામાં તો લક્ષ્ય
લક્ષણ ભેદ એવો બતાવ્યો છે, કેમકે લક્ષણ
વગર લક્ષ્ય એવું નામ પામે નહિ. એ રીતે તો છે, પરંતુ પરમાર્થથી
અભેદ નિશ્ચયમાં
નિર્વિકલ્પ વસ્તુમાં દ્વૈતકલ્પનાનો વિકલ્પ ક્યાં સંભવે
છે? એક અભેદ વસ્તુમાં સર્વ સિદ્ધિ છે, જેમ ચંદ્ર અને ચંદ્રનો પ્રકાશ
એક જ છે. સામાન્યતાથી નિર્વિકલ્પ છે; વિશેષતાથી શિષ્યને પ્રતિબોધ
કરવામાં આવે ત્યારે જેમ જેમ શિષ્ય, ગુરુના પ્રતિબોધવાથી ગુણનું
સ્વરૂપ જાણી જાણીને વિશેષ ભેદી થતો જાય તેમ તેમ તે શિષ્યને
આનંદના તરંગ ઊઠે, તે સમયે વસ્તુનો નિર્વિકલ્પ આસ્વાદ કરે. આ
કારણે ગુણ-ગુણીનો વિચાર યોગ્ય છે. ગુણનાં વિશેષને (પરિણામ) કહ્યા
છે; આ પરિણામથી જ ઉત્પાદ-વ્યયવડે વસ્તુની સિદ્ધિ છે એમ કહીએ
છીએ.
૧. પ્રવચનસાર ગુજ૦ પૃ૧૯૨