Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


Page 37 of 113
PDF/HTML Page 51 of 127

 

background image
દ્રવ્યનો સત્ઉત્પાદ અને અસત્ઉત્પાદ[ ૩૭
તેથી સત્ ઉત્પાદથી અસત્ ઉત્પાદ થયો! (તો પછી) પર્યાય વડે
અસત્ઉત્પાદ દ્રવ્ય વડે સત્ઉત્પાદએમ શા માટે કહો છો?
તેનું સમાધાાન :પર્યાય દ્રવ્યનું કારણ છે; દ્રવ્ય પર્યાયનું
કારણ છેએ તો (એક બીજાને) કારણરૂપ છે. પરંતુ પર્યાયનું કાર્ય
પર્યાયથી જ થાય છે. દ્રવ્યનું કાર્ય દ્રવ્યથી જ થાય છે; તેથી પર્યાયથી
અસત્ઉત્પાદ(રૂપ) કાર્ય થાય છે (અને) દ્રવ્યથી સત્ઉત્પાદ (રૂપ)
થાય
છે. આ કારણકાર્ય (નો) ભેદ છે તે વિવેકી પામે છે. દ્રવ્યસમુદ્રમાંથી
પર્યાયતરંગ ઊઠે છે ત્યારે આનંદની કેલિમાં મગ્ન થઈને વર્તે છે.
પરિણામપ્રવૃત્તિથી દ્રવ્ય-ગુણની પ્રવૃત્તિ છે અને વસ્તુની સ્થિરતા છે,
વિશ્રામ છે; આચરણ છે, વેદકતા છે, સુખનો આસ્વાદ છે, ઉત્પાદ
વ્યય છે, ષટ્ગુણ વૃદ્ધિ-હાનિ છે; પરિણામ જ વસ્તુના ગુણનો પ્રકાશ
પ્રગટ કરે છે. ગુણ-ગુણીના વિલાસનો રસ નિર્વિકલ્પદશામાં આવ્યો છે.
એક વસ્તુ અનંત ગુણનો પુંજ છે, વસ્તુમાં ગુણ આવ્યા; વસ્તુ પરિણામ
વેદે ત્યારે અનંતગુણ પણ વેદે, તેથી ગુણ-ગુણી બંને વેદે. સામાન્યમાં
વિશેષ છે, વિશેષમાં સામાન્ય છે. કહ્યું
છે કે
निर्विशेषं हि सामान्यं भवेत् खरविषाणवत्
सामान्यरहितत्वाच्च विशेषस्तद्वदेव हि ।।।।
અર્થઃખરેખર વિશેષ વગરનું સામાન્ય ગધેડાના શિંગડા સમાન
છે, અને સામાન્ય વિનાનું હોવાથી વિશેષ પણ ગધેડાના શિંગડા સમાન
જ છે.
૧. જુઓ, આલાપપદ્ધતિ એકાન્તપક્ષ દોષ અધિકાર.