Chidvilas (Gujarati). Samany-Visheshanu Swaroop.

< Previous Page   Next Page >


Page 38 of 113
PDF/HTML Page 52 of 127

 

background image
૩૮ ]
ચિદ્દવિલાસ
સામાન્યવિશેષનું સ્વરુપ
સામાન્યવિશેષનું સ્વરૂપ લખીએ છીએઃ
‘વસ્તુ’ એમ (કહેવું તે) વસ્તુનું સામાન્ય (કથન) છે અને
‘सामान्यविशेषात्मकं वस्तु’ (અર્થાત્ વસ્તુ સામાન્ય વિશેષસ્વરૂપ છે)
એમ કહેવું તે વસ્તુનું વિશેષ કથન છે. અસ્તિ તે સત્ એમ કહેવું
તે સામાન્ય સત્ છે, અને (પરથી) નાસ્તિ અભાવ (રૂપ) સત્ એમ
કહેવું તે વિશેષ સત્ છે. દેખવામાત્ર દર્શન
એ સામાન્ય દર્શન છે
અને સ્વ-પર સકલ જ્ઞેયોને દેખે તે વિશેષ દર્શન છે. જાણવામાત્ર
જ્ઞાન સામાન્ય (જ્ઞાન) છે, સ્વ-પર સકલ જ્ઞેયોને જાણે તે જ્ઞાનને
વિશેષ કહીએ. આ પ્રમાણે સર્વે ગુણોમાં સામાન્ય-વિશેષ છે. સામાન્ય
વિશેષ વડે વસ્તુ પ્રગટે છે; તે કહીએ છીએઃ
(વસ્તુને) જો
સામાન્ય જ કહીએ તો વિશેષ વિના વસ્તુના ગુણો જાણવામાં આવે
નહિ. ગુણ વિના વસ્તુ ન જણાય; માટે સામાન્યને વિશેષ પ્રગટ કરે
છે, સામાન્ય ન હોય તો વિશેષ ક્યાંથી હોય? વિશેષને સામાન્ય
પ્રગટ કરે છે; તેથી સામાન્ય
વિશેષમય વસ્તુ છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કેસામાન્ય તો અન્વયશક્તિને
કહીએ, વિશેષ વ્યતિરેક શક્તિને કહીએએમ કહ્યું છે, તે કઈ રીતે
છે?
તેનું સમાધાાન :અન્વયશક્તિ યુગપત્ સદા પોતાના
સ્વભાવરૂપ રહે છે, તેમાં કોઈ વિશેષ નથી; પોતાના સ્વભાવના
ભાવમાં જે દશા છે તે જ છે, (તે) નિર્વિકલ્પ અબાધિત છે.
૧. જુઓ, પ્રવચનસાર ગા. ૧૧૪ ટીકા. આલાપપદ્ધતિ પૃ. ૮૬