Chidvilas (Gujarati). Vyavahar.

< Previous Page   Next Page >


Page 43 of 113
PDF/HTML Page 57 of 127

 

background image
[ ૪૩
વ્યવહાર
પર્યાયાર્થિકનયના અનેક ભેદ તેમજ ગુણના ભેદ વડે વ્યવહારનય
કહીએ.
સામાન્યસંગ્રહ ભેદકવ્યવહારથી જીવ, અજીવ દ્રવ્ય કહીએ.
વિશેષસંગ્રહ ભેદવ્યવહારથી જીવ, સંસારી, મુક્તરૂપ કહીએ.
શુદ્ધ સદ્ભુતવ્યવહાર, જેમ કે શુદ્ધ ગુણ, શુદ્ધ ગુણી (એવા)
ભેદ કરીએ. અશુદ્ધસદ્ભૂતવ્યવહાર, જેમ કે મતિ આદિ ગુણ જીવના
કહીએ. વ્યવહારના અનેક ભેદ છે.
વ્યવહારથી પરપરિણતિરૂપ રાગ-દ્વેષ-મોહ-ક્રોધ-માન-માયા
લોભાદિ (છે તે) અવલંબન હેય કરવું; સંસારી જીવોએ એક ચૈતન્ય
આત્મસ્વરૂપ વિષે અવલંબન કરવું;
સર્વથા સ્વરૂપ ઉપાદેય કરવું અને
વૈરાગ્યતા, સંવર એકદેશ ઉપાદેય કરવા. વ્યવહારહેય-ઉપાદેયનો આવો
ઉપદેશ જાણવો.
પર્યાયભેદ કરવો તે વ્યવહાર છે. સ્વ (પોતામાં) સ્વભાવ,
સ્વભાવી કહેવું તે શુદ્ધ વ્યવહાર છે.
અને સ્વભાવથી અન્યથા કહેવું
તે અશુદ્ધ વ્યવહાર છે.
[આ જ ગ્રંથકર્તાકૃત આત્મ-અવલોકન ગ્રંથમાં વ્યવહારનું વર્ણન
કર્યું છે, ત્યાં પ્રથમ એક ગાથા લખીને વ્યવહારના ચાર પ્રકાર જણાવ્યા
છે. તે આ પ્રમાણેઃ
૧. આત્મ-અવલોકન પૃ. ૨૧ થી ૨૫ સુધીમાં આ વર્ણન છે.
૨. આલાપપદ્ધતિ પૃ. ૬૮;
૩. આલાપપદ્ધતિ પૃ. ૮૧;
૪. આલાપપદ્ધતિ પૃ. ૧૨૭.