Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


Page 62 of 113
PDF/HTML Page 76 of 127

 

background image
૬૨ ]
ચિદ્દવિલાસ
તેનું સમાધાાનઉપચારથી દ્રવ્યને (અનિત્ય) કહીએ; લક્ષણથી
પર્યાયને અનિત્ય કહીએ.
(વળી અહીં ) બીજો પ્રશ્ન થાય છે કેઉત્પાદ-વ્યય-ધ્રુવ તો
સત્તાનું લક્ષણ છે અને સત્તા દ્રવ્યનું લક્ષણ છે, (માટે તેને) પર્યાયનું
લક્ષણ ન કહો.
તેનું સમાધાન કરીએ છીએઃઉત્પાદ-વ્યય પણ પર્યાયસત્તાનું
જ લક્ષણ (છે), ઉપચારથી (તેને) દ્રવ્યમાં કહીએ. નયચક્રમાં કહ્યું છે
કે
‘द्रव्ये पर्यायोपचारः पर्याये द्रव्योपचारः (અર્થાત્ દ્રવ્યમાં પર્યાયનો
ઉપચાર થાય છે અને પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર થાય છે)’ માટે
(અનિત્ય પર્યાયનો) ઉપચાર કરીને (દ્રવ્યને અનિત્ય) કહીએ છીએ.
અનિત્ય દ્રવ્ય મૂળભૂત વસ્તુ નથી
એમ જાણવું.
(૪) (દ્રવ્યવીર્ય) દ્રવ્યથી એક છે અને ગુણ-પર્યાયના સ્વભાવથી
અનેક છે; અનેક સ્વભાવવડે એક છે, માટે અનેક ઉપચારથી કહીએ.
એક સ્વભાવ સાધવાનું નિમિત્ત અનેકપણું એમ ઉપચારથી સાધ્યું છે.
(૫) પૂર્વ પરિણામથી યુક્ત (તે) કારણરૂપ દ્રવ્ય છે (અને)
ઉત્તર પરિણામથી યુક્ત (તે) કાર્યરૂપ દ્રવ્ય છે,કારણ કાર્ય-સ્વભાવ
દ્રવ્યમાં જ છે; તેથી નયવિવક્ષાવડે દ્રવ્યમાં કારણ-કાર્ય સાધવામાં કોઈ
દોષ નથી. પૂર્વ પરિણામ ગ્રાહકનય (અને) ઉત્તર પરિણામ ગ્રાહકનય
વડે (કારણ
કાર્ય) સાધવું.
(૬) દ્રવ્યવીર્ય સામાન્ય છે, તેને ગુણ-પર્યાયવીર્યથી વિશેષ
કહીએ; તેથી સામાન્યવિશેષરૂપ તેનું જ છે.
દ્રવ્યવીર્યના આ બધાં વિશેષણો નયથી કહીએ.
૧. તત્ત્વાર્થ સૂત્ર ૫૩૦;
૨. તત્ત્વાર્થ સૂત્ર ૫૨૯;
૩. જુઓ નયચક્ર ગા. ૫૧.
૪. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા. ગા. ૨૨૨, ૨૩૦.