Chidvilas (Gujarati). Guna Virya.

< Previous Page   Next Page >


Page 63 of 113
PDF/HTML Page 77 of 127

 

background image
વીર્યશકિત[ ૬૩
ગુણવીર્ય
ગુણવીર્યનું વિશેષ કહીએ છીએઃ
ગુણને (ટકાવી) રાખવાનું જે સામર્થ્ય તેને ગુણવીર્ય કહીએ.
સામાન્ય-વિશેષ ગુણવીર્ય કહીએ છીએ. જ્ઞાનગુણમાં જ્ઞાયકપણાને
(ટકાવી) રાખવાનું જે સામર્થ્ય છે તે જ્ઞાનગુણવીર્ય છે; દર્શનમાં
દેખવાની શક્તિ છે તેને (ટકાવી) રાખવાનું જે સામર્થ્ય છે તે દર્શન
(ગુણ)
વીર્ય છે. સુખને (ટકાવી) રાખવાનું જે સામર્થ્ય છે તે સુખ
(ગુણ)વીર્ય છે. ઇત્યાદિ ગુણોને (ટકાવી) રાખવાનું સામર્થ્ય તે
વિશેષગુણવીર્ય છે; એકેક ગુણમાં વીર્યશક્તિના પ્રભાવથી આવું
સામર્થ્ય છે તે કહીએ છીએઃ
એક સત્તાગુણ વીર્યના પ્રભાવથી આવા મહિમાને ધારણ કરે છે
કે દ્રવ્યસત્તાવીર્યના પ્રભાવથી દ્રવ્યના ‘છે’ પણાની સામર્થ્યતા આવી,
ગુણ-સત્તાવીર્યના પ્રભાવથી ગુણના ‘છે’ પણાની સામર્થ્યતા આવી;
પર્યાય
સત્તાવીર્યના પ્રભાવથી પર્યાયના ‘છે’પણાની સામર્થ્યતા આવી;
એક સૂક્ષ્મગુણસત્તાવીર્યમાં એવી શક્તિ છે કે (તેને લીધે સર્વ ગુણ)
‘સૂક્ષ્મ છે’ એવી સામર્થ્યતા થઈ. જ્ઞાનસૂક્ષ્મ છે એવી સામર્થ્યતા આવી
ઇત્યાદિ સર્વે ગુણોમાં વીર્યસત્તા (
સત્તાવીર્ય)નો પ્રભાવ ફેલાઈ રહ્યો
છે. આ પ્રકારે સર્વે ગુણોમાં પોતપોતાના ગુણગુણનું વીર્ય, અનંત
પ્રભાવને ધારણ કરે છે, વિસ્તાર (થઈ જાય તે) માટે (અહીં) લખ્યું
નથી.
જ્ઞાન અસાધારણ ગુણ છે, સત્તા સાધારણ ગુણ છે, એમાં
સત્તાની મુખ્યતા લઈએ ત્યારે (એમ) કહીએ કે જ્ઞાન સત્તાના આધારે
છે તેથી સત્તા પ્રધાન છે.
સત્તા દ્રવ્ય-ગુણ-પર્યાયના રૂપને રાખે છે તેમજ જ્ઞાનના રૂપને
પણ રાખે છે, તેથી અસાધારણ વડે સાધારણ છે.